ભારતીય એજન્સીઓ જેને છેલ્લા 13 મહિનાથી રાત-દિવસ એક કરી શોધી રહી હતી. તે ભાગેડું નીરવ મોદીની લંડનમાં દેખાયાના થોડા જ દિવસોમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે ભારતીય એજન્સીઓ પણ હરકતમાં આવી છે અને નીરવ મોદીના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગી ગઈ છે. ત્યારે કેવી રીતે સામે આવ્યો કૌભાંડી અને કેમ લંડનમાં તેની થઈ ધરપકડ જુઓ આ અહેવાલમાં.
13 હજાર કરોડનું પીએનબી કૌભાંડ આચરી રાતો-રાત ગાયબ થઈ ગયેલ મહા કૌભાંડી, ભાગેડું નીરવ મોદીની લંડનામાં ધરપકડ કરી લેવામાં આવી છે. ભાગેડું નીરવ મોદીને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઈશ્યું કહ્યું હતું. ભાગેડું નીરવ મોદી છેલ્લા 13 મહીનાથી ગાયબ હતો, પરંતુ અચાનક 12 દિવસ પહેલા 9 લાખનું જેકેટ પહેરી તે લંડનના રસ્તાઓ પર ફરતો દેખાયો હતો અને ત્યારથી જ ભારતીય તપાસ એજન્સીઓ તેને પરત લાવવાની કવાયતમાં લાગી ગઈ છે.
સ્કૉટલેન્ડ પોલીસના જણાવ્યા પ્રમાણે, ભારતીય એજન્સીઓની ફરિયાદના આધારે 48 વર્ષિય નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે અને આજે વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે વધુ સુનાવણી 25 માર્ચના કરવામાં આવશે. જોકે નીરવ મોદીની ધરપકડ બાદ હવે ભારત સરકાર પણ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરશે.
એવી પણ માહિતી છે કે, હવે ભારતથી સીબીઆઈ અને ઈડીની એક ટીમ લંડન માટે રવાના થશે. આ દરમિયાન નીરવ મોદીના મામલાને લઈને CBI અને EDની ટીમ સતત UK ઓથોરિટી અને લંડનમાં ભારતીયત દૂતાવાસના સંપર્કમાં છે, પરંતુ જોવાનું તો એ રહેશે કે, દેશને કરોડોનો ચૂનો લગાવી લંડનમાં ફરતા નીરવ મોદીને ભારત લાવવામાં એજન્સીઓ ક્યારે સફળ રહે છે.