અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મીં રથયાત્રા નિકળી છે. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરાવીને રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરાવી હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે CCTVથી પોલીસ બાજ નજર રાખી રહી છે. સાથે જ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે જુઓ આ ભવ્ય રથયાત્રાના 10 સુંદર દ્રશ્યો...