સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહના કાયદાની માન્યતાને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તે પોલીસને દેશદ્રોહની જોગવાઈ અંતર્ગત ગુનો નોંધતા રોકી શકતા નથી.
દેશદ્રોહના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુુનાવણી
કોર્ટે કેન્દ્રને 24 કલાકનો આપ્યો હતો સમય
મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ
સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહના કાયદાની માન્યતાને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, તે પોલીસને દેશદ્રોહની જોગવાઈ અંતર્ગત ગુનો નોંધતા રોકી શકતા નથી, પણ એક સક્ષમ અધિકારી (SP રેંકના) મંજૂરી બાદ 124 A માં કેસ નોંધી શકે છે. તેમણે આગળ કહ્યું કે, અટવાયેલા રાજદ્રોહના કેસની સમીક્ષા થઈ શકે છે. 124 A અંતર્ગત મામલામાં કેટલાય કેસમાં ફટાફટ જામીન આપવા પર વિચાર કરી શકાય છે.
Sedition Law | Supreme Court allows the Central government to re-examine and reconsider the provisions of Section 124A of the IPC which criminalises the offence of sedition. Supreme Court says till the exercise of re-examination is complete, no case will be registered under 124A. pic.twitter.com/xrjHNyLbA6
જો કે, આ દરમિયાન અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો હતો. તેમણે અરજી પર સુનાવણીની માગ કરી, સિબ્બલે એક વાર ફરી કહ્યું કે, તેને સરકાર પર છોડી દેવો જોઈએ નહીં, તેમણે આ કાયદા પર રોક લગાવવાની માગ કરતા કહ્યું કે, આ કાયદા પર તાત્કાલિક રોક લગાવાની જરૂર છે. ત્યારે સોલિસિટર જનરલના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટની 3 જજોની બેંચ થોડી વાર માટે ઉઠી હતી.
Supreme Court puts the sedition law on hold; urges Centre and States to refrain from registering any FIRs invoking Section 124A IPC.
વડી અદાલતે મંગળવારે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. આ સમય એટલા માટે આપવામાં આવ્યો હતો કે, કેન્દ્ર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ માટે નિર્દેશ આપશે કે, જ્યારે IPCની કલમ 124 એની સમીક્ષા કરવામા આવી રહી છે, ત્યારે તેના પર રોક લગાવામાં આવે. સોલિસિટર જનરલે સુનાવણી દરમિયાન કહ્યું કે, સરકાર કાયદાને લઈને પુનર્વિચાર દરમિયાન શું કરી શકે છે. તેના પર સરકારે નિર્દેશ લઈને કોર્ટને સૂચિત કરવામાં આવશે. કપિલે સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, આ કેસ અંતર્ગત હાલમાં 800 લોકો જેલમાં છે.
કલમ 124 એ પર રોક લગાવાનો કેન્દ્રનો વિરોધ
કેન્દ્રએ આઈપીસીની કલમ 124 એ પર રોક લગાવાનો વિરોધ કર્યો છે. પ્રસ્તાવમાં ભવિષ્યમાં આઈપીસીની કલમ 124 એ અંતર્ગત ફરિયાદ પોલીસના વડા દ્વારા તપાસ કરવામા આવ્યા બાદ નોંધવામાં આવશે. જ્યાં સુધી અટવાયેલા કેસના સંબંધમાં વાત છે તો કોર્ટને જામીન પર તાત્કાલિક વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે.