જમ્મુ કાશ્મીરને લઈને એક વિવાદીત પોસ્ટને લઈને ધારાસભ્ય કે.ટી. જલીલ વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરને લઈને વિવાદીત નિવેદન
કેરલના ધારાસભ્ય ફેસબુક પર કરી પોસ્ટ
દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ
જમ્મુ કાશ્મીરને લઈને એક વિવાદીત પોસ્ટને લઈને ધારાસભ્ય કે.ટી. જલીલ વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસ કમિશ્નર અને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કે.ટી. જલીલ સીપીઆઈ(એમ) પાર્ટીના સભ્ય છે. તેમના પર આરોપ છે કે, તેમણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ નાખી હતી. જેમાં જમ્મુ કાશ્મીરના ભાગને ભારતના કબ્જાવાળુ કશ્મીર ગણાવ્યું છે.
કે.ટી. જલીલ વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ સુપ્રીમ કોર્ટના વકીલ જી.એસ મણિએ નોંધાવી છે. તેમનો આરોપ છે કે, કેટી જલીલે પોતાની પોસ્ટમાં ન ફક્ત જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનની દ્રષ્ટિએ જોયું પણ લખ્યું છે કે, ત્યાંના લોકો સુખી નથી. જ્યારે પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરને તેમણે આઝાદ કશ્મીર ગણાવ્યું હતું.
જી.એસ મણિનું કહેવુ છે કે, કેટી જલીલે નિવેદનમાં દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેમણે જમ્મુ કશ્મીરના લોકોની વચ્ચે રાષ્ટ્રવિરોધી ભાવના ભડકાવવાનું કામ કર્યું છે. તે દેશમાં હિન્દુ અને મુસ્લિમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરી રહ્યા છે.
કે.ટી. જલીલનું આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓએ તેમના પર પ્રહાર કર્યા હતા. કેરલમાં સત્તા મેળવવાની કોશિશ કરી રહેલી ભાજપ આ મામલે મુખ્ય પ્રહારકર્તા બની છે. જમ્મુ કાશ્મીરે લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહેલાથી લાંબો વિવાદ છે. ભારતે હંમેશા તેનો પોતાનો અભિન્ન અંગ ગણાવતું રહ્યું છે. જ્યારે પાકિસ્તાનનું કહેવુ છે કે, તે કાશ્મીર તેમનું છે.