ભારત અને ચીન વચ્ચે થોડા મહિનાઓથી સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ વચ્ચે ભારતની વાયુસેના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પર ન યુદ્ધ ન શાંતિ જેવી પરીસ્થિતિ છે.
ભારત ચીન વિવાદ વચ્ચે એર ચીફનું મોટું નિવેદન
કોઈ પણ દુસ્સાહસનો જવાબ આપવા માટે દ્રઢ સંકલ્પિત : ભદૌરિયા
ન યુદ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ છે : ભદૌરિયા
ભારત ચીન વચ્ચે વધતો સરહદ વિવાદ
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદૌરિયાએ પૂર્વી લદાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર કહ્યું કે આપણી પરિસ્થિતિ હાલમાં અસહજ અને ન યુદ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ છે. એક સંમેલનમાં સંબોધન દરમિયાન એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું કે વાયુસેનાએ સ્થિતિ પર ત્વરિત પ્રતિક્રિયા આપી છે અને તે ક્ષેત્રમાં કોઈ પણ દુસ્સાહસનો જવાબ આપવા માટે દ્રઢ સંકલ્પિત છે.
Present security scenario along our northern frontiers is at an uneasy — no war, no peace status. Our defence forces are prepared for any eventuality: IAF chief Air Chief Marshal RKS Bhadauria pic.twitter.com/GvVZptDnah
વાયુસેના પ્રમુખે કહ્યું કે આપણી ઉત્તરી સરહદ પર વર્તમાન પરિસ્થિતિ ન યુદ્ધ ન શાંતિ છે, જેવું તમને બધાને જાણ છે આપણા સુરક્ષા દળો કોઈ પણ પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે વધુમકા કહ્યું કે પૂર્વમાં હાંસલ કરવામાં આવેલ C17 ગ્લોબમાસ્ટર, ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર સાથે હાલમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ રાફેલ ફાઈટર વિમાનોથી વાયુસેનાની રણનીતિક ક્ષમતામાં વધારો થયો છે.
દુશ્મનેને સબક શીખવાડશે ભારતની વાયુસેના
ભારતીય એરોસ્પેસ ઉદ્યોગથી જોડાયેલ એક સંમેલનમાં તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ પણ સંઘર્ષમાં વાયુશક્તિ આપણી જીતમાં મહત્વની સાબિત થશે. તેથી જરૂરી છે કે આપણે આપણા દુશ્મનો વિરુદ્ધ ટેક્નિકલ શક્તિ હાંસલ કરીએ છે તે જાળવી રાખીએ.
ભારતની સ્વદેશી સૈન્ય ઉપકરણ બનાવવાની ક્ષમતામાં વધારો
ફ્રાંસમાં નિર્મિત પાંચ રાફેલ લડાકૂ વિમાન 10મી સપ્ટેમ્બરે આધિકારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થયા છે અને તે લદાખ ઉડાન ભરી રહ્યા છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે હલકા વજનના લડાકૂ વિમાન તેજસની બે સ્કોવડ્રન અને સુખોઈ-30 MKI વિમાનમાં અમુક સ્વદેશી હથિયારોને ખૂબ ઓછા સમયમાં લગાવી દેવા એ ભારતની સ્વદેશી સૈન્ય ઉપકરણ બનાવવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે.