નેપાળના રસ્તે આંતકવાદીઓની ઘૂસણખોરીને લઈને આશંકા મળી રહી છે. જેને લઈને ભારત -નેપાળ સરહદ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પિથોરાગઢના પોલીસ અધિક્ષકે ગુરુવારે મોડી સાંજે ઝૂલાઘાટ પહોંચીને સીમા પર સુરક્ષા વ્યવસ્થાની માહિતિ મેળવી હતી.
આતંકીઓના ઘૂસણખોરીની આશંકા
નેપાળના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્લાન
ઘૂસણખોરીની આશંકાને લઈને 10 દિવસનું એલર્ટ જાહેર
ભારત-નેપાળ વચ્ચે સારા સંબંધો
પિથોરાગઢ જિલ્લામાં કાલી નદી ભારત અને નેપાળની સીમાઓમાં ભાગ પાડે છે. લગભગ 180 કિમી લાંબી સીમા પર 6 ઝૂલાપુલની અવરજવર છે. રોટી-બેટીનો સંબંધ હોવાના કારણે આ સીમા પર કોઈ પણ રોકટોક વિના બંને દેશના લોકોની અવરજવર ચાલતી રહે છે. સીમા પર અવાંછિત ગતિવિધિ પર નજર રાખવા માટે એસએસબીના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
દિવાળી સમયે ઘૂસણખોરીની શંકા
પોલિસના અનુસાર કાશ્મીરમાં કલમ 370 હટાવી દેવાયા બાદ પાકિસ્તાની આતંકી ભારતમાં ઘૂસણખોરીની કોશિશમાં લાગ્યા છે. ભારત અને પાકિસ્તાન સીમા પર તણાવ વધ્યો છે. આશંકા છે કે દિવાળી પર્વ સમયે આતંકીઓ નેપાળના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે.
સુરક્ષાને લઈને એજન્સીઓ બની સક્રિય
ખાનગી એજન્સીઓના રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. પિથૌરાગઢના પોલિસ અધિક્ષક રામચંદ્ર રાજગુરુ ગઈકાલે મોડી સાંજે ઝૂલાઘાટ પહોંચ્યા. તેઓએ સીમાનું નિરિક્ષણ કર્યું અને પછી પોલિસ અધિકારીઓ અને જવાનોને એલર્ટ રહેવા અને નિયમનું પાલન કરવાના નિર્દેશ આપ્યા. પોલિસ અધિક્ષકે સંબંધમાં નેપાળના પોલિસ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.
10 દિવસ માટે અપાયું એલર્ટ
સુરક્ષા એજન્સીઓને સીમા પર તણાવની શંકા જણાતા તેઓએ જવાનોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. આતંકી ઘૂસપેઠને માટે સીમાનો ઉપયોગ કરી શકાય છે. આ આશંકાને લઈને ઝૂલાઘાટમાં સીમાનું નિરિક્ષણ કરવામાં આવ્યું છે. 10 દિવસનું એલર્ટ છે. જેમાં તમામ પોલિસ જવાનોને સતર્ક રહેવા જણાવાયું છે.