જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળોની આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી ચાલી રહી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના 1 આતંકવાદીને ઠાર કર્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
1 આતંકવાદીને બોલાવ્યો ખાત્મો
ગઈકાલે સાંજે જ આતંકીઓએ સેનાની બસ પર કર્યો હતો હુમલો
સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જણાવી દઈએ કે, શ્રીનગરમાં ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને 11 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
One terrorist neutralised in an operation of the Indian Army and Jammu & Kashmir police in Behramgala, Surankote sector of Poonch. One AK-47 rifle and four magazines recovered: White Knight Corps, Indian Army
ગઈકાલના હુમલામાં ઘાયલ થયેલો જવાન આજે સવારે થયો શહીદ
આતંકવાદી હુમલામાં ઘાયલ ત્રીજા પોલીસકર્મી રમીઝ અહેમદ આજે સવારે શહીદ થયા છે. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના જૂથ કાશ્મીર ટાઈગર્સે શ્રીનગર આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
Srinagar | IGP Kashmir Vijay Kumar along with other police personnel pays tribute to constable Rameez Ahmad Baba who lost his life in yesterday's terrorist attack pic.twitter.com/YZb95om67A
પૂંછમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર ચાલુ છે
જણાવી દઈએ કે સુરક્ષા દળોએ પુંછના સુરનકોટમાં આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકવાદીઓથી બચવું અશક્ય છે. 16 રાષ્ટ્રીય રાઈફલ્સ અને SOGની ટીમ સંયુક્ત રીતે આતંકવાદીઓ વિરુદ્ધ આ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોને ઈનપુટ મળ્યા હતા કે પૂંચમાં 2 થી 3 આતંકીઓ છુપાયા છે.
શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. શ્રીનગરમાં સુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે, જ્યારે 11 ઘાયલ થયા છે. શ્રીનગરના જેવાન પંથા ચોક વિસ્તાર પાસે આતંકવાદીઓએ પોલીસ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલો સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો. ત્રણ આતંકવાદીઓએ પોલીસ બસ પર આ હુમલો ત્યારે કર્યો જ્યારે 25 પોલીસ કર્મચારીઓ ડ્યૂટી પૂરી કરીને પાછા જઈ રહ્યા હતા.
હુમલા બાદ આતંકીઓ ભાગી ગયા હતા
જણાવી દઈએ કે બસ પર 2-3 આતંકીઓએ ત્રણ બાજુથી હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણેય હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા. આતંકી હુમલામાં ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ ચાલુ છે. તે જ સમયે, શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન પોલીસે એક વિદેશી આતંકવાદી સહિત લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
હુમલા બાદ રાજનીતિએ રફ્તાર પકડી
કશ્મીરમાં પોલીસ કાફલા ઉપર હુમલાને લઇ હવે રાજનીતિએ રફ્તાર પકડી છે.કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓએ સરકાર ઉપર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અધીરંજન ચૌધરીએ સરકાર સામે આક્ષેપ કરી જણાવ્યું છે કે 370 કલમની નાબૂદી બાદ કશ્મીરમાં શાંતિની સ્થાપના થશે પરંતુ હાલ એવો વાયદો નિભાવવામાં સરકાર નિષ્ફળ થઇ છે.