આતંકીઓ પુલવામા જેવો મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. શ્રીનગર-જમ્મૂ હાઈવે પર આતંકવાદીઓ હુમલો કરી શકે છે. જૈશ, લશ્કર અને હિઝબુલ આ ષડયંત્ર રચી રહ્યું છે. હાઈવે પર IED બ્લાસ્ટ થયાના ઈનપુટ્સ મળવાના કારણે પોલીસ અને જવાનોને એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકવાદીઓની યોજના પ્રમાણે જવાનોના વાહનોને બોમ્બથી ઉડાડી દેવાના ઈનપુટ્સ પણ મળી રહ્યા છે.
પુલવામા જેવો આતંકી હુમલો કરવાની તૈયારીમાં આતંકીઓ
શ્રીનગર-જમ્મૂ હાઈવે પર આતંકવાદીઓ કરી શકે છે હુમલો
જૈશ, લશ્કર અને હિઝબુલ ઘડી રહ્યું છે ષડયંત્ર
હાઈ-વે પર IED બ્લાસ્ટ કરવાના મળ્યા ઈનપુટ
જવાનોના વાહનોને કાર બોંબથી ઉડાવવાનું ષડયંત્ર
ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ પોલીસ અને જવાનો અલર્ટ
આ રીતે કરી શકે છે હુમલો
ખાનગી એજન્સીઓએ આતંકવાદીઓના હુમલા અને નવી રણનીતિ વિશે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કર્યા છે. કાર બમ અને તેમાં આઈઈડી લગાવીને હુમલો કરવાની ફિરાતમાં આતંકવાદીઓ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. ખાસ પ્રકારની કાર બનાવવા માટે તેઓ સ્થાનિક લોકોની મદદ લઈ રહ્યા છે. પાકિસ્તાનની તરફથી મોકલવામાં આવેલા આ આતંકી આ પ્રકારની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.
3 સંગઠનો કોની કોની પર કરશે હુમલો
પાકિસ્તાનની ખાનગી એજન્સી આઈએસઆઈના લશ્કર, હિજબુલ અને જૈશને અલગ અલગ જગ્યાઓ પર હુમલાને માટે વહેંચી દેવામાં આવ્યા છે. એજન્સીના આધારે હાલમાં પુલવામા હુમલો કરનારા ત્રણ સંગઠનોની બેઠક થઈ હતી. તેમાં સામેલ આતંકીઓને તેમના નેતાઓએ ફરમાન આપ્યું છે કે હુમલાનું પ્લાનિંગ કરી લેવામાં આવે. હાઈવે પર હુમલો કરવાની જવાબદારી જૈશ-એ- મોહમ્મદ, અંતરિયાળ વિસ્તારોમાં લશ્કર-એ તૈયબા અને હિજબુલ મુઝાહિદીનને પોલીસ કર્મીઓ અને રાજનીતિક લોકોન પર હુમલાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.