કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે, આ મામલા અંગેની જાણકારી દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવી હતી. માહિતી આપતા તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસે તેમના નિવાસ સ્થાને રહેતા સુરક્ષાકર્મીઓમાં વધારો કરવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે, ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ગત સપ્તાહે જ હજી ગૃહમંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. અમિત શાહની સુરક્ષા મામલે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા કર્યા બાદ તેમાં વધારો કરવામાં આવ્યો હતો.
વર્તમાન સમયમાં અમિત શાહને કેન્દ્રીય અર્ધસૈનિક દળ દ્વારા જેડ પ્લાસ સુરક્ષા આપવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે, વધારાના સુરક્ષાકર્મીઓ છે. ગૃહમંત્રી આગામી સમયગાળામાં રહેવા જવાના છે જ્યાં દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રહેતા હતા.
સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડમાં બ્લેક કેટ કમાંડો મુકવામાં આવી શકે છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહની સુરક્ષાની તમામ જવાબદારી સેના દ્વારા સંભાળવા સુધી દિલ્હી પોલીસ તેમને પણ સુરક્ષા પુરી પાડશે.
પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ નંબર-2 પર
મોદી સરકાર-2માં કેબિનેટ મંત્રીઓને મંત્રાલયની ફાળવણી બાદ આખરે ટીમ મોદી એક્શનમાં આવી ગઈ છે. અમિત શાહે ગૃહમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. મોદી સરકારમાં અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું છે અને હવે અમિત શાહે પણ ગૃહમંત્રીનું પદ સંભાળી લીધું છે. અમિત શાહ હવે વિધિવત રીતે ગૃહમંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યાં છે.
મોદી સરકારમાં પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ નંબર ટુ પર છે. મોદી બાદ સૌથી મહત્વનું પદ સંભાળનારા અમિત શાહ સામે ખાસ મોટા પડકારનો પહાડ છે. શાહ પાસે જેટલું મોટુ પદ છે. તેટલી જ મોટી જવાબદારી છે. શાહ સામે જમ્મૂ-કશ્મીરમાં ધારા 370 અને 35A ઉપરાંત કાશ્મીરી પંડિતોનાં પુનર્વસનની જવાબદારી છે.