અમરનાથની પવિત્ર યાત્રા 1 જૂલાઇથી શરૂ થશે. આ વખતે 46 દિવસ એટલે કે 15 ઓગસ્ટ સુધી ચાલશે.
પુલવામા હુમલા પછી થઇ રહેલી આ યાત્રાની સુરક્ષા માટે સેના તથા શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે અત્યાર સુધીની સૌથી સારી સુરક્ષા વ્યવસ્થા કરી છે. યાત્રા સરળ અને શાંતિપૂર્ણ થાય, તે માટે લેટેસ્ટ ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. યાત્રાના માર્ગોની 24 કલાક નિરીક્ષણ કરવા માટે IP આધારિત હાઇ રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી કંટ્રોલ રૂમમાં યાત્રીઓ અને કાફલાના રિયલ ટાઇમ અપડેટ મળશે. આ સાથે જ તેના કારણે સુરક્ષા બળોને પણ મદદ મળશે. યાત્રીઓની ઓળખ અને લોકેશન જાણવા માટે પહેલી વખત સ્લિપમાં બારકોડ હશે. આ સ્લિપમાં યાત્રીઓની તમામ જાણકારી, જેવી કે ક્યાંથી આવ્યા, તેમનો મોબાઇલ નંબર શું છે વગેરે...
ગત વખતની જેમ આ વખતે યાત્રીઓની ગાડીમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિક્શન ટેગ લગાવવામાં આવશે, જેથી ટ્રેક કરી શકાય. શ્રદ્ઘાળુઓને વાહન જમ્મૂથી બેઝ કેમ્પ સુધી અર્ધલશ્કરી દળોના કાફલાની સાથે જ જશે.
- આ વર્ષે હાઇ રિઝોલ્યૂશન કેમેરાથી લેસ ડ્રોનથી પણ યાત્રા માર્ગનું પરીક્ષણ કરવામાં આવશે. ભીડને નિયત્રિંત રાખવા માટે માત્ર દરરોજ 7500 યાત્રીઓને ગુફા માટે રવાના કરવામાં આવશે, તેમની સુરક્ષા માટે આ વર્ષે 30000થી વધારે સૈનિકોને તૈયાર કરવામાં આવે છે. યાત્રાની સુરક્ષા વ્યવસ્થા 3 સ્તરમાં બનાવવામાં આવી છે.
- CRPFના શ્રીનગર સેક્ટરના IGએ જણાવ્યુ કે, સુરક્ષાદળોની 300 કંપનીઓ (એક કંપનીના 80-100 સૈનિક) તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તે પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાના જવાનોની મદદ કરી શકે. પહેલા સ્તરમાં CRPF, બીજામાં રાજ્ય પોલીસ અને છેલ્લા સ્તરમાં સેના હશે.
- આ સિવાય યાત્રાના માર્ગમાં કેટલાક જગ્યાઓ પર ફાયર ફાઇટિંગ ટીમ, એક્સરે બૈગેજ સ્કેનિંગ યૂનિટ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. નીલગઢ, પાંજતારની અને પહલગામમાં હેલીપેડ બનાવવામાં આવ્યા છે. રાસ્તમાં બારકોડ પૉઇન્ટ્સ અને ટેલિકૉમ્ન્યૂકિશન પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યુ કે, 27 રેસ્ક્યૂટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસની 11 માઉન્ટેન રેસ્ક્યૂ ટીમ મહિલા તથા બિમાર યાત્રીઓને મદદ કરશે. 12 અવલોન્ચ રેસ્ક્યૂ ટીમ પણ તૈનાત કરવામાં આવશે.
3888 મીટર ઉંચાઇ સુધી જવા માટે 14 અને 46 કિમીના 2 રસ્તા:
કાશ્મીર ખીણમાં 3888 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે માર્ગ છે. પહેલો માર્ગ પહેલગામથી ગુફા સુધી 46 કિલોમીટર લાંબો છે. આ યાત્રાધામનો ઐતિહાસિક માર્ગ છે.
આ રસ્તો પસાર કરવામાં લગભગ 3 થી 4 દિવસ લાગે છે. નવો રસ્તો બાલતાલથી અમરનાથ ગુફા સુધી જાય છે. આ 14 કિમી લાંબો છે. તેનાથી ગુફા સુધી પહોંચવામાં ફક્ત એક દિવસ લાગે છે. આજકાલ મોટાભાગના મુસાફરો આ રસ્તાનો ઉપયોગ કરે છે.