જમ્મૂ જિલ્લા પ્રશાસન તરફથી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ શુક્રવારથી ધારા 144 સીઆરપીસી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ આજરોજ સ્કૂલ અને કોલેજો પણ ખોલવામાં આવી રહ્યાં છે. જમ્મૂમાં પરિસ્થિતિ સામાન્ય થવાની સાથે તંત્ર તેના પર સતત નજર રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ધારા 144 ગત 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી હતી.
આમ જમ્મૂના રોડ પર પાંચ દિવસ બાદ હવે રોનક જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ અનૂકુળ થવાની સાથે ધારા 144 હટાવી દીધી છે. જેને લઇને જમ્મૂના રોડ પર પહેલા જેવી હલચલ જોવા મળી રહી છે. જેમાં બાળકો સ્કૂલ જતા જોવા મળી રહ્યાં છે જ્યારે રોડ પર ટ્રાફિક સામાન્ય જોવા મળ્યો હતો.
JAMMU: Schools have reopened in the city from today; visuals from Blooming Dale Public School and Sri Ranbir Model Higher Secondary School. #JammuAndKashmirpic.twitter.com/AIQYwmAGUB
જ્યારે જમ્મુમાં બકરી ઇદની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે જમ્મૂ-કાશ્મીરમાં લોકો સોમવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં બકરીઇદનો તહેવાર મનાવી શકે. જેને લઇને રાજ્ય પ્રશાસન સાથે સુરક્ષા એજન્સીઓ પણ સાવચેત જોવા મળી રહી છે.
જમ્મૂમાં આજે માર્કેટ તેમજ સ્કૂલ કોલેજ ખુલ્યાં છે. એક મળતાં અહેવાલ મુજબ રાજ્યના 10 જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય છે. જો કે જમ્મૂ ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવા હજી પણ બંધ રાખવામાં આવી છે.