ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં તંત્ર દ્વારા 144ની કલમ લાગૂ કરવામાં આવી છે.
કોરોના અને ઓમિક્રોનની દહેશત વધી
લખનૌમાં એકમહિના માટે લાગૂ કરાઈ કલમ 144
નાગરિકો સહયોગ આપવા તંત્રની અપીલ
દેશ સહિત દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, ક્રિસમસ, નવા વર્ષની ઉજવણી, પ્રવેશ પરીક્ષાઓ અને તહેવારોની સ્થિતિને જોતા લખનૌના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યારથી લાગૂ થશે નવો નિયમ
ઉલ્લેખનીય છે કે, 7 ડિસેમ્બરથી આગામી 5 જાન્યુઆરી 2022 સુધી આ કડક નિયમ લખનૌમાં લાગૂ થશે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે, તો સમગ્ર દેશમાં ઓમિક્રોનની દહેશત પણ જોવા મળી રહી છે. તો ખેડૂત સંગઠનો અને સંભવિત ધરણા પ્રદર્શનની આશંકાને પગલે પણ તંત્ર સફાળું એક્શનમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉભી થશે સમસ્યા
વહીવટી તંત્ર અનુસાર વિધાનસભાની આસપાસ ધરણા પ્રદર્શન અથવા વાહન સાથેના પ્રદર્શનને કલમ 144નું ઉલ્લંઘન માનવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનને છોડીને ધર્મસ્થળો પર 50થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે છે. તો બંધ સ્થળો પર એક સમયે 100થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે.
Section 144 CrPC invoked in Lucknow till January 5
કલમ 144 દરમિયાન જીવનજરૂરી સેવાઓ પર છૂટછાટ રહેશે. આરોગ્ય સેવાઓ નિયમિત રીતે યથાવત રહેશે, આ સિવાસ કોઈ ઈમરજન્સી થવા પર પૂર્વ પરમિશન પર આવનજાવનમાં છૂટછાટ મળશે, સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવાના આદેશ આપવામાં આવ્યા છે અને નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
શું ભારતમાં આવવાની છે ત્રીજી લહેર
ઓમિક્રોને ભારતમાં ત્રીજી લહેરની ચિંતા વધારી દીધી છે. આઈઆઈટીના સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલના અનુમાન લગાવયું છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી લહેર આવી શકે છે. ફેબ્રુઆરીમાં આ પીક પર હોઈ શકે છે અને તે સમયે દર રોજ 1થી 1.5 લાખે કેસ આવી શકે છે. જો કે તેમને એમ પણ કહ્યું કે બીજી લહેરની સરખામણીએ આ ઓછો ખતરનાક હશે.
ત્રીજી લહેરનો ખતરો એટલા માટે વધી જાય છે કેમ કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રીકામાં કોરોનાના કેસ 408 ટકાના દરથી વધ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના મામલામાં એક દિવસમાં 53 ટકા સુધી વધી ગયા છે. અત્યાર સુધીમાં બ્રિટનમાં 246 મામલા કોરોનાના ઓમિક્રોનના આવી ચૂક્યા છે. રસીના બે ડોઝ લેવા છતાં પણ લોકો સંક્રમિત થયા છે.
અત્યાર સુધીમાં દેશમાં 21 લોકો કોરોનાના નવા વેરિયન્ટની ચપેટમાં આવ્યા
તમને જણાવી દઈએ કે,દેશમાં છેલ્લા એક સપ્તાહમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા હતાં, જે બાદ હવે કુલ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. રવિવારે નોંધાયેલા 17 કેસમાંથી 9 રાજસ્થાનની રાજધાની જયપુરમાં, 7 મહારાષ્ટ્રના પુણે અને 1 દિલ્હીમાં નોંધાયા છે. રાજસ્થાનના મેડિકલ સેક્રેટરી વૈભવ ગલેરિયાએ કહ્યું હતું કે, સંક્રમિત લોકોની જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે 9 લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. બીજી બાજુ મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે કે પૂણે જિલ્લામાં 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા.
બૂસ્ટર ડોઝને લઈને ભારતમાં ચાલી રહી છે ચર્ચા
જણાવી દઈએ કે બૂસ્ટર ડોઝને લઈને સોમવારે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ (NTAGI)ની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. NTAGI એ Omicron સંબંધિત ડેટાનું મૂલ્યાંકન કર્યું છે, જે દર્શાવે છે કે દેશમાં કોરોના સંક્રમણનું જોખમ ઘણું વધારે છે. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. નિષ્ણાતો કહે છે કે ફ્રન્ટ લાઇન વર્કર્સ સાથે, વૃદ્ધોને પણ બૂસ્ટર ડોઝ આપવો જોઈએ, જેમને પ્રથમ રસી આપવામાં આવી હતી. આ બધા લોકોને રસી મળ્યાને લાંબો સમય થઈ ગયો છે અને તેઓને ચેપ લાગવાની શક્યતા વધુ છે. એક અધિકારીએ કહ્યું, "NTAGI આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે, ત્યાર બાદ જ બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવામાં આવશે."