છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ કેસમાં 66 ટકાનો વધારો થયો છે. બીજી લહેરમાં સંક્રમણ એપ્રિલ મહિનામાં ચરમસીમાએ પહોંચી શકે છે.
કોરોનાની બીજી લહેર પહેલા કરતા પણ છે ડરામણી
એક અઠવાડિયામાં વધ્યા 66 ટકા કેસ
એપ્રિલ મહિનામાં સંક્રમણ રહેશે ટોપમાં
એપ્રિલ મહિનામાં સંક્રમણ ટોપ પર, એસબીઆઈએ જાહેર કર્યો રિપોર્ટ
આંકડા કહે છે કે કોરોનાની બીજી લહેર એપ્રિલ મહિનામાં પોતાના પીક પર હશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો તેના આધારે દેશમાં બીજી લહેર એપ્રિલના અંતમાં ચરમસીમાએ હશે. આ લહેર 100 દિવસ લાંબી ચાલશે જે ફેબ્રુઆરી 15થી શરૂ થઈ છે. એસબીઆઈએ પહેલી લહેરના આંક પર ધ્યાન આપ્યું છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, છત્તીસગઢ, પ. બંગાળ, દિલ્ગી અને તમિલનાડુને ખરાબ સ્થિતિમાં ગણાવ્યા છે. કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબમાં નવા રેકોર્ડ રોજ બનાવી રહી છે.
ભારતમાં કોરોના વાયરસના નવા કેસ આવતા ફરીથી સંક્રમણ વધી રહ્યું છે
ગુરુવારે ભારતમાં કોરોના વાયરસના 59 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. ઓક્ટોબર પછી લગભગ 159 દિવસ બાદ આ સૌથી વધારે આંકડો છે. કોરોનાની બીજી લહેર સતત ફેલાઈ રહી છે. ગયા વર્ષ મે મહિનામાં પહેલીવાર આટલો ઝડપથી કોરોના વધ્યો હતો તેનાથી સંકેત મળી રહ્યા છે કે વેક્સીનેશન શરૂ થયા બાદ પણ કોરોનાની બીજી લહેર પહેલાથી વધારે ખતરનાક રૂપ લઈ શકે છે. દેશના 2 રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહેલી લહેરના આંકડાને પણ પાર કરી ચૂક્યા છે. પંજાબમાં કેસ પહેલાના આંકને પાર થવાની તૈયારી છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 35,952 नए मामले सामने आए हैं। 20,444 लोग डिस्चार्ज हुए और 111 लोगों की मृत्यु दर्ज़ की गई।
66 ટકા વધી ગયો છે એક અઠવાડિયાનો રેશિયો
25 માર્ચ સુધીના આંકડા જોઈએ તો એક અઠવાડિયામાં ભારતમાં લગભગ 47 હજાર 442 નવા કેસ આવી રહ્યા હતા. 28 ઓક્ટોબરના બાદ પહેલીવાર 7 દિવસ આ આંક વધ્યો. કોરોનાની રફ્તારની વાત કરીએ તો આંકડા ચોંકાવનારા છે. ફક્ત 7 દિવસ પહેલા દેશમાં કોરોનાના કેસ 28 હજાર હતા અને એક અઠવાડિયામાં તે આંક 66 ટકા વધ્યો છે. 1-0 મે પછીનો આ સૌથી મોટો ઉછાળો છે.
पुणे में पिछले 24 घंटों में #COVID19 के 6,432 नए मामले सामने आए हैं। 2,808 लोग डिस्चार्ज हुए और 42 लोगों की मृत्यु दर्ज़ की गई।
ગયા વર્ષે મે મહિનામાં એક દિવસમાં આવતા હતા ફક્ત 3500 કેસ
ગયા વર્ષે મે મહિનાની સ્થિતિની તુલના કરીએ તો આ સમયે રોજના 3500 કેસ આવતા હતા. આજે આ આંક વધીને 47 હજારને પાર થયો છે. એનો એર્થ એ છે કે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધુ ઝડપી છે.