કોરોના વાયરસની નવી લહેરના કેરથી દેશભરનું જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે, આ એક દુ:સ્વપ્ન સમાન છે, જેને લઈને બધા લોકો આ લહેરના પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે.
કોરોના લહેર 100 દિવસ સુધી રહી શકે છે
એક્સપર્ટના કહેવા અનુસાર આ વાયરસ રસી અને ઇમ્યુનિટીને સાઇડલાઇન કરી શકે છે
રસી લીધેલા લોકોને પણ કોરોના થવું તે આનું પ્રમાણ છે
કોરોનાની બીજી લહેર કયા સુધી તેનો આતંક મચાવશે એવો પ્રશ્ન હાલ દેશના દરેક માણસના મનમાં ઉઠી રહ્યો હશે, તો જાણી લો એક્સપર્ટના કહેવા અનુસાર આ ટૂંક સમયમાં ખતમ થવાની નથી અને લગભગ 100 દિવસો સુધી રહી શકે છે.
ઇમ્યુનિટી અને રસીને સ્કીપ કરે છે વાયરસ
પોલીસ જવાનોમાં જાગરૂકતા લાવવા માટે એડવાઇઝરી જાહેર કરનારા ડો. નીરજ કૌશિક કહી રહ્યા છે કે આ નવો મ્યુટેટેડ વાયરસ ઇમ્યુનિટી અને વેક્સિનને પણ સાઇડલાઇન કરવાની ક્ષમતા ધરાવે છે અને આનું જ કારણ છે કે કોરોના થયેલા લોકોને ફરીથી સંક્રમણ થઈ રહ્યું છે અને રસી લઈ લીધેલા લોકોને પણ સંક્રમણ થઈ રહ્યું છે, આ નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે કે જો પરિવારમાંથી એક પણ વ્યક્તિ સંક્રમિત થઈ જાય છે, તો તે આખાય પરિવારને સંક્રમિત કરી શકે છે.
આ નવો વાયરસની લહેર ક્યારે ખતમ થશે, તેના જવાબમાં તેમણે લખ્યું છે કે આ લહેર 100 દિવસ સુધી રહેવાની શક્યતા છે, સાથે જ આવઇ લહેરો સતત આવતી જ રહેશે, ત્યા સુધી કે કુલ વસ્તીના 70 ટકા લોકોનું રસીકરણ ન થઈ જાય અને હર્ડ ઇમ્યુનિટી ન મેળવી લેવાય.
આવા લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ
પોલીસ જવાનોને તેમની સલાહમાં તેમણે કહ્યું હતું કે લોકોના સંક્રમિત થવાની શક્યતા ત્યારે વધી જાય છે કે જ્યારે તે 15 મિનિટ કે તેથી વધુ કોઈ ચેપી વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યો હોય, આવઇ સ્થિતિમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જે લોકો કોમૉરબિડ છે કે જે ઓબેસિટી, ડાયાબિટીસ, ક્રોનિક કિડની રોગ જેવી સમસ્યાઓથી પીડાય છે, તેમને વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ, અને માસ્ક વ્યવસ્થિત પહેરવું જોઈએ અને હાથ ધોવા અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઈએ.