59 દિવસમાં દેશમાં અડધાથી વધારે કોરોના દર્દીઓ 10 રાજ્યોમાં હોવાની સાથે જ દર્દીઓની સંખ્યામાં 12 ગણો વધારો નોંધાયો છે.
કોરોનાની બીજી લહેરે મચાવ્યો હાહાકાર
દેશમાં અડધાથી વધારે કોરોના દર્દીઓ 10 રાજ્યોમાં
સંક્રમિત દર્દીની સંખ્યામાં 12 ગણો થયો વધારો
કોરોના વાયરસની બીજી લહેરના ફ્કત 59 દિવસમાં સરકારી દાવાની પોલ ખૂલી રહી છે. મહારાષ્ટ્રથી લઈને દિલ્હી અને કેરળથી લઈને તમિલનાડુ સુધીમાં સંક્રમણને હરાવવા માટેનું શ્રેય સરકાર લઈ રહી હતી. પરંતુ કોરોનાએ તાકાતવર થઈને આ રાજ્યોની સ્થિતિ બદલી છે. હાલમાં સ્થિતિ એ છે કે જિલ્લા સ્તરે સમીક્ષા થયા બાદ પણ સંક્રમણથી બચાવ થઈ રહ્યો નથી.
દેશમાં અડધાથી વધારે કોરોના દર્દીઓ 10 રાજ્યોમાં
આંકડાની વાત કરીએ તો 3 ફેબ્રુઆરીથી 3 એપ્રિલની વચ્ચે દેશના 10 રાજ્યોમાં સૌથી ગંભીર સ્થિતિ છે. અડધાથી વધારે દર્દીઓ આ રાજ્યોમાં છે. અહીં 3થી લઈને 12 ગણા સક્રિય દર્દીઓ છે. આ એ રાજ્યો છે જ્યાં કોરોનાનો પીક આવ્યા બાદ સ્થિકિ નિયંત્રણમાં આવી હતી એવું સરકારી આંકડા કહે છે.પરંતુ વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ચૂંટણી, રાજનીતિ અને સરકાર એટલી જ જવાબદાર છે જેટલા માસ્ક ન પહેરનારા સામાન્ય વ્યક્તિઓ.
જાણો 59 દિવસની કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 6, છત્તીસગઢમાં 8, પંજાબમાં 12, મધ્યપ્રદેશણાં 8, તમિલનાડુમાં 4 અને દિલ્હીમાં 10 ગણા સક્રિય દર્દીઓ 59 દિવસમાં વધ્યા છે. આ સિવાય ગુજરાતમાં 4, યૂપીમાં 3 અને હરિયાણામાં 10 ગણા દર્દીઓ વધ્યા છે.
છેલ્લા 2 મહિનામાં વધ્યું કોરોના સંક્રમણ
દિલ્હીમાં દુનિયાના સારા મોડલ હોવાનો દાવો કરાયો હતો. સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકાર દુનિયાના સૌથી મોટા અને સારા મોડલ હોવાનું સરકારને બતાવી ચૂકી છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કોરોનાને રોકવાના કાર્યો અને તેની અસરનો શ્રેય સરકારને આપ્યો છે. જ્યારે દિલ્હીમાં જ 10 ગણા વધારે સક્રિય કેસ છે. દર્દીની દેખરેખ અને હોસ્પિટલમાં ઉપચાર પર પણ ઓછું ધ્યાન અપાઈ રહ્યું છે.
શું કહે છે WHO
WHOની તરફથી મળતી માહિતી અનુસાર નવા નવા સ્વરૂપના કારણે વાયરસ ઝડપી બન્યો છે. વિધાન સભાની ચૂંટણી તેનું મુખ્ય કારણ છે. સ્વાસ્થ્ય મંત્રાલય, નીતી આયોગ, એનસીડીસી, આઈસીએમઆર, સીએસઆઈઆર તેને રોકી શક્યા નથી. દરેક બીજા નેતા માસ્ક વિના જોવા મળી રહ્યા છે. એવામાં જનતા નિયમનું પાલન કેવી રીતે કરી શકે.
महाराष्ट्र में पिछले 24 घंटों में 49,447 नए #COVID मामले, 37,821 रिकवरी और 277 मौतें दर्ज़ की गई।
અહીં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાની જાહેરાત કરાઈ છે.તેમને આગળના ધોરણમાં પ્રવેશ આપી દેવાશે. આ સાથે જ શિક્ષામંત્રીએ કહ્યું છે કે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ જલ્દી નિર્ણય લેવાશે.