ભારતમાં કોવિડ -19 સંક્રમણની બીજી લહેર વચ્ચે, વોલ સ્ટ્રીટ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૈશે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતની વૃદ્ધિ આગાહીને 10.9 ટકાથી ઘટાડીને 10.5 ટકા કરી દીધી છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરે વધારી ચિંતા
ગોલ્ડમૈન સૈશે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની વ્યક્ત કરી સંભાવના
નિફ્ટીમાં પણ થયો 3.5 ટકાનો ઘટાડો
આ ઉપરાંત,બ્રોકરેજ શેર બજારો અને કમાણીના તેના અંદાજને પણ ઘટાડ્યા છે.
ભારતમાં કોવિડ -19 કેસ દરરોજ નવા રેકોર્ડમાં પહોંચી રહ્યા છે. તે જ સમયે, વિવિધ રાજ્યોમાં લોકડાઉન પણ વધી રહ્યું છે. સુનિલ કૌલની આગેવાની હેઠળના ગોલ્ડમેન સૈશના અર્થશાસ્ત્રીઓએ મંગળવારે જાહેર કરેલી વિગતવાર નોંધમાં જણાવ્યું છે કે, ઘણા મોટા રાજ્યો દ્વારા લાદવામાં આવેલા કડક લોકડાઉનને કારણે ચિંતામાં વધારો થયો છે. આને લીધે, રોકાણકારો મેક્રો ઇકોનોમી અને આવકમાં સુધારણા અંગે ડરતા હોય છે.
જીડીપી વૃદ્ધિ દર 10.9 ટકાથી ઘટાડીને 10.5 ટકા કર્યો
ગોલ્ડમૈન સૈશે 2021 ની ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ આગાહીને 10.9 ટકાથી ઘટાડીને 10.5 ટકા કરી દીધી છે. બ્રોકરેજ કંપનીનો અંદાજ છે કે આનાથી જૂન ક્વાર્ટરની વૃદ્ધિ પર પણ અસર થશે. આ સાથે ગોલ્ડમેન સૈશે તેની કમાણી વૃદ્ધિની આગાહીને 2021 માં 27 ટકાથી ઘટાડીને 24 ટકા કરી દીધી છે. બ્રોકરેજની આગાહી છે કે પ્રતિબંધોને સરળ કર્યા પછી અને રસીકરણની ગતિમાં વધારો કર્યા પછી જુલાઈથી પુન:સજીવન ફરી શરૂ થશે. નોટમાં જણાવાયું છે કે શેર બજારોમાં પણ આત્મવિશ્વાસનું સંકટ નજરે પડે છે.
નિફ્ટીમાં 3.5 ટકાનો ઘટાડો થયો
ઉલ્લેખનીય છે કે, સોમવારે નિફ્ટીમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો. ગોલ્ડમેન સૈશે જૂનના વૃદ્ધિના અંદાજના બીજા ક્વાર્ટરમાં ઘટાડો કર્યો. જો કે તેણે આ અંગેનો કોઈ ડેટા આપ્યો નથી. જો કે, નોંધે આશા વ્યક્ત કરી છે કે આ તમામ બાબતોની કુલ અસર થોડી ઓછી થશે, કેમ કે કેટલાક વિસ્તારોમાં અંકૂશ લાદવામાં આવ્યા છે.
24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા
ભારતમાં કોરોના સંક્રમણ બેકાબુ રફ્તાર ચાલુ છે. દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.
વર્લ્ડોમીટર અનુસાર ગત 24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1.38 કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે 1 હજારથી વધારે મોત થતા કુલ મોતનો આંક 1, 72, 115 થઈ ગઈ છે. ગત દિવસોમાં સતત પોઝિટિવ આવનારા મામલાની સાથે કોરોનાથી સાજા થનારાના દરમાં ઘટાડો થયો છે.