ચીનમાં કોરોનાનો કહેર ઓછો થયો વર્તાઈ રહ્યો છે. ચીને પોતાના શહેરોમાંથી લોકડાઉન હટાવી દીધું છે. લગભગ 60 દિવસ પછી તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકોની સામે એક મોટો પડકાર છે. જે છે કોરોના વાયરસનો ફરીથી થનારો હુમલો.
ચીનમાં આ કારણોસર ફરીથી કોરોનાનો હુમલો થશે
એક વર્ષ સુધી કોરોનાના હુમલાને રોકવા એક માત્ર ઉપાય એ છે કે તમામની તપાસ થાય
કોરોનાને વેક્સિનથી જ નાથી શકાશે પણ તેને હજું એક વર્ષ લાગશે
સાયન્સ મેગેજીન નેચરે હોંગકોંગ યૂનિવર્સીટીના મહામારી વિશેષજ્ઞ બેલ કાઉલિંગના હવાલાથી લખ્યું છે કે આ સમય લોકડાઉનથી મક્તિ અને થોડા આરામનો છે. પણ એ વાત નક્કી છે કે કોરોના વારસનો કહેર બીજીવાર ચોક્કસથી આવશે. એ વાતની પુરી શંકા છે કે બીજી વખતનો કહેર એપ્રિલના અંત સુધીમાં એકવાર ફરી ચીનને ઘેરી વળશે.
બેન કાઉલિંગે જણાવ્યું હતું કે કોરોના વાયરસ હુબેઈ પ્રાંતના વુહમાથી નિકળી પૂરા ચીન અને યૂરોપીયન દેશ અને અમેરિકા સુધી ફેલાઈ ગયો છે. પુરી દુનિયાના પરિવહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. બોર્ડરો સીલ કરવામાં આવી.
બેન કાઉલિંગે કહ્યું કે યુરોપમાં સારવારની રીત જોઈને એવુ લાગી રહ્યું છે કે લગભગ તેમને 2 વર્ષ સુધી લોકોને કોરોનાથી અલગ રાખવા પડશે. ત્યારે જઈને દેશ પોતાના નાગરિકોને બચાવી શકશે.
બેને જણાવ્યુ હતું કે ચીને હવે ફરીથી પોતાના પ્રાંતોનું ટેસ્ટિંગ કરવું જોઈએ જેથી ખબર પડે કે અત્યારે પણ કેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે. કેટલા લોકો સાજા થઈ ચૂક્યા છે. કેટલા લોકોમાં હળવા લક્ષણો છે કે જે ફરી બિમાર કરી શકે છે. આ તૈયારી તેમને કોરોનાના બીજા હુમલાથી બચાવી શકશે.
હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધક ગૈબ્રિએલ લીઉંગે જણાવ્યું છે કે ચીનમાં જનજીવન અને પરિવહન સામાન્ય થઈ ગયુ છે. લોકો ઘણા દિવસો પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. આ દરમિયાન લોકો કોરોનાના હળવા સ્તર પર બિમાર પડશે. જેના કારણે આ બિમારી ફરીથી આવી શકે છે.
ગૈબ્રિએલે કહ્યું કે તમે હુબેઈ પ્રાંતને જ જોઈ લો અહીં લગભગ 6 કરોડ લોકો સામાન્ય સ્થિતિમાં નથી. લોકો ધીરે ધીરે પોતાના ઘરે અને કામ પર પાછા ફરી રહ્યા છે. 8 એપ્રિલે લોકડાઉન હટશે. તત્કાલ લોકોને તપાસની જરુર પડશે.
ગૈબ્રિએલ બિઉંગે કહ્યું કે તાત્કાલીક તપાસ નહી કરાવવામાં આવે તો 2 અઠવાડિયામાં એટલે કે અપ્રિલના અંત સુધીમાં કોરોના વાયરસ હળવા અથવા નબળા સ્તરે લોકોને ગંભીર રીતો બિમાર કરી દેશે અને બીજા હુમલા માટે સક્ષમ થઈ જશે.
ગૈબ્રિએલ લિઉંગે જણાવ્યું છે કે ચીનમાં જેટલા લોકો કોરોના વાયરસના સંક્રમણથી બહાર આવ્યા છે તેમનામાં 50થી 70 ટકા લોકો હવે કોરોના વાયરસથી ઈમ્યૂન થઈ ચૂક્યા છે એટલે કે તેમના શરીરમાં કોરોનાને લઈને પ્રતિકારક ક્ષમતા વિકસી ચૂકી છે. જોકે ચિંતાનો વિષય એ છે કે ચીનમાં જેટલા પણ કેસ આવ્યા તેમાંથી અડધા વુહાનના હતા. પરંતુ ફક્ત 10 ટકા લોકોમાં જ કોરોના વાયરસ ઈમ્યૂન થઈ શક્યા છે. એનો મતલબ એ છે કે હજું પણ હજારો લોકો એવા છે જેને ફરીથી સંક્રમણ થઈ શકે છે.
બેન કઉલિંગે જણાવ્યું હતું કે આની સારવાર વેક્સીન જ હોઈ શકે છે. વેક્સીન આવતા લગભગ 1 વર્ષ હજુ લાગી શકે છે. ત્યા સુધી કોરોનાના ખતરનાક હુમલાનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહી ચીન જેવી એર સેવા શરુ કરશે કોરોના ફેલાવાનું ફરી શરુ કરશે.