વલસાડના ભીલાડમાં દુકાન મોડી રાત સુધી ચાલુ હોવાથી PSI ભાન ભૂલ્યા હતા અને અપશબ્દ કહીને દંડા વરસાવ્યા હતા. જે દુકાનદારે PSI મકવાણા વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. થોડા મહિના પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું જણાવ્યું હતું કે, ધંધાર્થીઓ રોજગારી મેળવી શકે તે માટે સરકારે નિર્ણય લીધો છે કે, 24 કલાક સુધી પાન પાર્લર અને રિટેઈલ સ્ટોલ ચાલુ રાખી શકાશે. જોકે મોડી રાત સુધી દુકાન ચાલુ હોવાથી PSI ભાન ભૂલ્યા હતા અને દુકાનદાર સહિક ગ્રાહકો પર દંડા વરસાવ્યા હતા.