બેંકોએ 21 ઓક્ટોબરથી લોન મેળાનું આયોજન કર્યું છે, જે 25 ઓક્ટોબર સુધી ચાલશે.આ સંદર્ભમાં એસબીઆઇએ ટ્વિટ પણ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઇ સહિત 18 સરકારી બેંક આજથી #CustomerOutreachInitiative શરૂ કરી રહ્યા છે.
બેંકોએ 21 ઓક્ટોબરથી લોન મેળાનું આયોજન કર્યું છે
તમારી પાસે સરળતાથી લોન મેળવવાના પાંચ દિવસ છે
આ સંદર્ભમાં એસબીઆઇએ ટ્વિટ પણ કર્યું છે
અર્થવ્યવસ્થાને લઇને વધતી ચિંતાની વચ્ચે આજે એટલરે કે 21 ઑક્ટોબરથી દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટે બેંક સહિત 18 સરકારી બેંક ગ્રાહકો માટે મોટી ખુશખબરી લઇને આવી છે. બેંકોએ 21 ઓક્ટોબરથી લોન મેળાનું આયોજન કર્યું છે, જે 25 ઓક્ટોબર સુધી ચાલશે. એટલે કે તમારી પાસે સરળતાથી લોન મેળવવાના પાંચ દિવસ છે. બેંકોએ પોતાની તરફથી તમામ વ્યવસ્થા કરી છે.
SBIએ ટ્વિટ કરીને આપી જાણકારી
આ સંદર્ભમાં એસબીઆઇએ ટ્વિટ પણ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઇ સહિત 18 સરકારી બેંક આજથી #CustomerOutreachInitiative શરૂ કરી રહ્યા છે. એ હેઠળ ઘણી જગ્યાઓ પર કેમ્પ કરવામાં આવશે, જ્યાં ગ્રાહકોને દરેક પ્રકારની લોન અને અન્ય બેંકિંગ સુવિધાઓ મળશે.
પહેલા તબક્કામાં વેચી હતી 81,781 કરોડની લોન
લોન મેળાના પહેલા તબક્કામાં સરકારી બેંકોએ 81,781 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ મેળો 9 દિવસ સુધી ચાલ્યો હતો. સરકારી બેંકોના પ્રમુખો સાથે મુલાકાત કર્યા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એમાંથી આશરે 34 હજાર કરોડ રૂપિયાથી વધારે લોન માત્ર નવા વેપારીઓને આપવામાં આવી, લોન મેળાનો પહેલો તબક્કો એક ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી ચાલ્યો હતો.
સરકારે આ લોન મેળો દેશના 250 જિલ્લામાં કર્યો હતો. નાણા મંત્રીએ કહ્યું કે બેંકોની પાસે પૂરતી રકમ છે. સરકાર પ્રયત્ન કરી રહી છે નાના નેપારીઓને મોટા કોર્પોરેટ્સથી ચુકવણી નક્કી તારીખ સુધી મળી જાય. નાના વેપારીઓને કોઇ પણ પ્રકારે નાણાંકીય સમસ્યા ના થાય, એના માટે સરકાર પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે.