ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે બીજ સીરો સર્વેની રિપોર્ટ સામે આવી છે જેમાં હજુ પણ ભારતની મોટા ભાગની વસ્તી કોરોના ઝપેટમાં આવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં રાજ્ય સરકારોને ચેતવણી આપવામાં આવી છે.
કોરોના વાયરસને લઈને વર્તમાન સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફ્રેન્સ
ભાર્ગવે તહેવારની સિઝન, શિયાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોને આપી ચેતવણી
સીરો સર્વેમાં થયા મોટા ખુલાસા
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ફરીથી કરવામાં આવેલ સીરો સર્વે અનુસાર દેશની મોટી વસ્તી હજુ પણ કોરોના વાયરસનો શિકાર બની શકે છે. ICMR DGએ કહ્યું કે બીજી નેશનલ રિપોર્ટ અનુસાર ઓગસ્ટ, 2020 સુધીમાં દસ વર્ષથી વધારે ઉંમરનો દર 15મો વ્યક્તિ ભારતમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો હતો.
રાજ્ય સરકારોએ અપનાવવી પડશે 5T સ્ટ્રેટેજી
દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પર જાણકારી આપવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય, ICMR અને નીતિ આયોગ દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફ્રેન્સ કરવામાં આવી હતી. જેમાં બલરામ ભાર્ગવે કહ્યું કે સીરો રિપોર્ટમાં મોટી વસ્તી કોરોનાની ઝપેટમાં આવી જાય તેવી આશંકા દર્શાવવામ આવી છે એવામાં 5T સ્ટ્રેટેજી અપનાવવી પડશે. બીજી સીરો રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિના સુધીમાં દસ વર્ષથી ઉપર દર 15મો વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. નોંધનીય છે કે આ 5T સ્ટ્રેટેજીમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
શિયાળો અને તહેવારોની સિઝન આવી રહી છે
ICMRએ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે આગામી તહેવારની સિઝન, શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવાની જરૂર છે, તેમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામાં મોટા તહેવારો, શિયાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ નવી કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડશે.
ગ્રામીણ વિસ્તારોમાં ઓછો પ્રભાવ !
ICMR DG બલરામ ભાર્ગવે આ જ પ્રેસ કોન્ફ્રેન્સમાં બીજી પણ એક મોટી વાત કહી, તેમણે જણાવ્યું કે બીજી રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારના લોકો કૂરના વાયરસથી એટલા પ્રભાવિત થયા નથી. તેમણે કહ્યું કે બીજા સીરો સર્વેના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસથી સૌથી વધારે શહેરી સ્લમ અને શહેરી નોન-સ્લમ એરિયા આવે છે. ગ્રામીણ ક્ષેત્રો અપેક્ષાકૃત ઓછા પ્રભાવિત થયા છે.