ગાંધીનગરમાં ચાલી રહેલી કોંગ્રેસની તાલીમ શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસ શાસિત પંચાયતોના પદાધિકારીઓની તાલિમ શિબિર પેથાપુરના મોઢેશ્વરી માતાના મંદિરમાં ચાલી રહી છે. જ્યાં 250થી વધુ પદાધિકારીઓને નિષ્ણાંતો તાલીમ આપી રહ્યા છે.
આ શિબિરમાં હોદ્દેદારોને કોંગ્રેસનો વ્યાપ વધારવા સુચારુ વહીવટ અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે બોધપાઠ આપવામાં આવશે. તો આ શિબિરમાં પેજ પ્રમુખ જનમિત્ર અને શક્તિ પ્રોજેક્ટની પણ ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીમાં જીત મેળવવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે. બુધવારથી ચાલુ થયેલી આ શિબિરમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાજર રહ્યા હતા. આ સાથે જ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના અધ્યક્ષ મીનાક્ષી નટરાજન અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.