બ્રેકિંગ ન્યુઝ
VTV / Second budget session of Parliament from today including Adani and China Opposition to surround government on these issues
Arohi
Last Updated: 09:18 AM, 13 March 2023
ADVERTISEMENT
સંસદના બજેટ સત્રનો બિજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ સત્રમાં કુલ 17 બેઠકો હશે. સોમવારથી શરૂ થતું આ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે. વિપર્ષના નેતા મલ્લિકાર્જુન અડગેએ બજેટ સત્રના બીજા તબક્કાની રણનીતિ તૈયાર કરવા માટે સોમવારે સવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે જાણકારી અનુસાર વિપક્ષ તપાસ એજન્સિઓના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
સૂત્રો અનુસાર રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં સવારે લગભગ 10 વાગ્યે વિપક્ષી નેતાઓની બેઠક થઈ શકે છે. ત્યાં જ કોંગ્રેસના સાંસદ પાર્ટીની રણનીતિ પર મંથન માટે આ બેઠક પહેલા કોંગ્રેસ સંસદિય પક્ષનાં એકત્ર થશે.
સરકારને આ મુદ્દે ઘેરવાની તૈયારી
એજન્સી અનુસાર વિપક્ષ તપાસ એજન્સીઓના કથિત દુરઉપયોગ, હિંડનબર્ગ-અદાણી વિવાદ, ચીનને લઈને થયેલો વિવાદ, મૂલ્ય વૃદ્ધિ અને બેરોજગારી જેવા મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.
ત્યાં જ કોંગ્રેસ અડાણી ગ્રુપ સાથે જોડાયેલા આરોપોની સંયુક્ત સંસદીય સમિતિથી તપાસ કરવાની માંગ કરી રહીં છે. કોંગ્રેસ સાંસદના સુરેશે કહ્યું કે તેમની પાર્ટી અદાણી-હિંડનબર્ગ મુદ્દાને ઉઠાવતી રહેશે કારણ કે સરકારે હુજ સુધી વિવાદ પર જવાબ નથી આપ્યો.
તપાસ એજન્સીઓને લઈને સરકારને ઘેરવાની તૈયારી
આ સાથે જ વિપક્ષી પાર્ટીની તપાસ એજન્સિઓના ઉપયોગને લઈને પણ સરકારને ઘેરવાની તૈયારી કરી છે. હકીકતે હાલમાં જ લેંડ ફોર જોબ સ્કેમના કેસમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ અને તેમના દિકરાએ કહ્યું EDની રેડ થઈ હતી.
સાથે જ સમાજવાદી પાર્ટી, વામ દળો અને DMKએ પણ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સિઓના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે.
મલ્લિકાર્જુન અડગેએ મોદી સરકાર પર લગાવ્યા આ આરોપ
લોકસભામાં કોંગ્રેસ વ્હિપ મણિકમ ટેગોરે ભાર આપી કહ્યું છે કે કોંગ્રેસ એજન્સિઓના દુરઉપયોગના મુદ્દાને મજબૂતીથી ઉઠવશે. તેના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગેએ મોદી સરકાર પર વિપક્ષી નેતાઓના વિરૂદ્ધ તપાસ એજન્સીઓનો દુરૂપપોગ કરી લોકતંત્રની હત્યાનો કુટિલ પ્રયાસનો આરોપ લગાવ્યો હતો.
એક મહિના બાદ શરૂ થયુ બજેટ સત્ર
બજેટ સત્ર એક મહિનાના લાંબા અવકાશ બાદ ફરી શરૂ થઈ રહ્યું છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે તૃણમૂળ કોંગ્રસ બજેટ સત્રના બીજા ચરણના વખતે એલઆઈસી અને એસબીઆઈના નુકસાન, જરૂરી વસ્તુઓની કિંમતોમાં વધારો, બેરોજગારી અને કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગના મુદ્દાઓને ઉઠાવવાની તૈયારી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.