શેરબજારમાં ગેરકાયદેસર ઇનસાઇડર ટ્રેડીંગને અટકાવવા માટે સેબીએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
ઇનસાઈડર ટ્રેડીંગને અટકાવવા સેબીનો મોટો નિર્ણય
આ રીતે જીતી શકાશે 10 કરોડ સુધીનું ઇનામ
ગ્રાહકોના હિત માટે સેબી કાર્યરત
જયારે કોઈ કંપની સાથે જોડાયેલ વ્યક્તિ અંદરની જાણકારી દ્વારા શેરનું ખરીદ વેચાણ કરીને ખોટી રીતે રૂપિયા કમાય તેને ઇનસાઇડર ટ્રેડીંગ કેહવામાં આવે છે. આ રીતે પૈસા કમાવવા ગેરકાયદેસર છે અને તે કરવા બદલ જેલ પણ થઇ શકે છે. સેબીએ ગ્રાહકોના હિતના રક્ષણ માટે ઇનસાઇડર ટ્રેડીંગને અટકાવવા અનેક પ્રયાસો કર્યા છે.
ઇનસાઇડર ટ્રેડીંગ કરવા વિરુદ્ધ જેલ પણ થઇ શકે છે
કંપનીમાં કામ કરતા વ્યક્તિઓને ઘણી વખત ઈનસાઈડ ન્યૂઝ પહેલાથી જ મળી જતી હોય છે કે, કંપની ભવિષ્યમાં આ રીતના કામ કરવાની છે. અથવા તો કંપનીના શેર પર અસર આવશે. આ જાણકારી લોકો સુધી પહોંચે તે પેહલા જ જથ્થાબંધ શેર ખરીદી લેવામાં આવે છે અને ત્યાર બાદ ભાવ વધવાની સાથે જ તેને વેચી દેવામાં આવે તો તેને ઇનસાઇડર ટ્રેડીંગ ગણવામાં આવશે અને તે કરવા વિરુદ્ધ જેલ પણ થઇ શકે છે.
10 કરોડ સુધીનું ઇનામ આપવામાં આવશે
સેબીએ તાજેતરમાં જ થયેલી મીટિંગમાં જણાવ્યું કે, ઇનસાઈડર ટ્રેડીંગને અટકાવવા માટે સેબીએ પહેલા પણ ઘણા પગલાં ભર્યા છે અને તે હંમેશાથી તેના વિરુદ્ધ રહી છે. જે પણ વ્યક્તિ આ વિશેની જાણકારી આપશે તેને 1 કરોડની જગ્યા પર હવે 10 કરોડ સુધીનું ઇનામ આપવામાં આવશે.
માર્કેટ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ઇનસાઈડર ટ્રેડીંગને અટકાવશે
સેબીએ ઇનસાઈડર ટ્રેડીંગને અટકાવવા માટે માર્કેટ સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરી છે કે જે બજારમાં થતી અસામાન્ય પ્રવૃત્તિ પર નજર રાખે છે. સેબીએ આ સિસ્ટમમાં ઘણો સુધારો પણ કર્યો છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણીબધી કંપનીને નિયમોનો ભંગ કરવા બદલ દંડ પણ ફટકાર્યો છે.
કંપનીઓ કર્મચારીઓ પાસે બોન્ડ કરાવી લે છે
સેબીના લાખોના દંડથી બચવા માટે કંપનીઓ તેમના કર્મચારીઓ પાસે બોન્ડ કરાવી લે છે કે, કંપનીની કોઈ પણ માહિતી બહારના વ્યક્તિને જણાવવી નહી અને તેના આધાર પર શેર માર્કેટમાં કોઈપણ લેવડદેવડ કરવી નહી.