સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ આરપાર હિતોના ટકરાવને ટાળવા માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર (IA)ને લગતા કાયદાઓમાં ફેરફાર કર્યા છે. આ માટે SEBI Investment Advisors Regulation 2013માં અમેન્ડમેન્ટ એટલે કે ફેરફાર કર્યો છે. આ સુધારા અંતર્ગત પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર રોકાણ સલાહ એટલે કે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ અને ડિલિવરી સર્વિસ આ બે માંથી માત્ર એક જ કરી શકશે. એટલે કે જે એડવાઈઝર રોકાણને લગતી સલાહ આપતા હશે તેઓ ઇન્વેસ્ટર્સ વતી અથવા તેમના માટે ટ્રેડિંગ કરી શકશે નહી.
કંપનીએ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવો પડશે
SEBI દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની સ્તરે રોકાણની સલાહ અને ડિસ્ટ્રિબ્યુશન આપતા યુનિટ્સ પહેલાની જેમ જ કાર્યરત રહેશે. ફેરફાર મુજબ એડવાઈઝર કંપનીઓએ એડવાઇઝરી અને ડિલીવરી સર્વિસ અથવા ટ્રેડિંગ સર્વિસ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવા પડશે. જો કે, મોટાભાગની કંપનીઓ અત્યારે આ રીતે જ કામ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટિઝમાં સારી ટ્રાન્સપેરન્સી એટલે કે પારદર્શિતા માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર અને કલાયન્ટ વચ્ચેનો કરાર ફરજિયાત છે.
રજીસ્ટ્રેશન માટે નેટવર્થની મર્યાદા વધારાઈ
SEBIએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના રજીસ્ટ્રેશન માટે નેટવર્થની મર્યાદામાં વધારો કર્યો છે. એડવાઇઝરી કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના રજીસ્ટ્રેશન માટે નેટવર્થની મર્યાદા રૂ. 25 લાખથી વધારી રૂ. 50 લાખ કરવામાં આવી છે. વ્યક્તિગત ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર માટે આ મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે.