જો તમે પણ તમારા બાળકોના નામે રોકાણ કરો છો તો તમારા માટે આ ન્યૂઝ મહત્વના છે. શેરબજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબીએ સગીરના નામે કરાયેલા રોકાણ સંબંધી નિયમોમાં બદલાવ લાવ્યો છે.
SEBIએ બદલ્યા આ નિયમો
સગીરના નામે થયેલા રોકાણમાં બદલાયા નિયમો
જાણી લો નવા નિયમો અને રોકાણ કરો સેફ
સેબીએ નવા નિયમોના આધારે હવે રોકાણ રાશિની રકમને સગીરના બેંક ખાતા કે અન્ય વ્યક્તિની સાથે સગીરના સંયુક્ત ખાતાથી ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે અન્ય કોઈ માધ્યમથી સ્વીકારવામાં આવશે.
આ જાણકારી આપવાની રહેશે
સેબીની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર જે સગીરના નામ પર ખાતું હોય તેને પુખ્ત થતાં તેને કેવાઈસીની જાણકારી આપવાની રહેશે. તેની સાથે જ બેંક ખાતાની માહિતી પણ આપવાની રહેશે. સગીરની સ્થિતિ બદલીને પુખ્ત કરી શકાશે નહીં. આગળના લેન દેન માટે પરમિશન આપવામાં આવશે નહીં. તેનો અર્થ એ છે કે આ બદલાવની પ્રક્રિયામાં લેન દેન બંધ રહેશે.
આ પ્રોસસ કરવાની રહેશે જરૂર
સેબીના આધારે સંપત્તિ પ્રબંધન કંપનીઓએ જ્યાં ક્લેમ કરનારા સગીર ખાતાધારક છે એ કેસમાં ફોટો આધારિત પ્રોસેસ કરવાની રહેશે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડને અલગથી કેન્દ્રીય હેલ્ડ ડેસ્ક અને વેબપેજ રાખવાનું રહેશે. તેમાં ટ્રાંસમિશન પ્રોસેસ સંબંધિત જાણકારી અને નિર્દેશ આપવા જરૂરી છે.