કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણના હિતોની રક્ષા માટે ઈન્ટર સ્કીમ ટ્રાન્સફરના માપદંડોને સખત કરી દીધા છે. બજાર નિયામકના જણાવ્યાનુંસાર એક ફંડ હાઉસ તરફથી લિક્વીડીટી વધારવાના પ્રયાસોને ખતમ કર્યા પછી ઈન્ટર સ્કીમ ટ્રાન્સફર કરી શકાય છે. આ યોજનાઓમાં ઉપલબ્ધ રોકડ તથા કૈશ ઈક્વેલેન્ટ અસેટ્સનો ઉપયોગ અને બજારોમાં સ્કીમ અસેટ્સના વેચાણમાં સમાવિષ્ટ છે. સેબીના જણાવ્યાનુંસાર આ સર્ક્યુલર 1 જાન્યુઆરીથી લાગુ પડશે.
...તો તેનું કારણ તથ્ય તરીકે દાખલ કરવામાં આવશે
આ સર્ક્યુલર 1 જાન્યુઆરીથી લાગુ પડશે
ફંડ રોકાણના હિતોની રક્ષા માટે ઈન્ટર સ્કીમ ટ્રાન્સફરના માપદંડોને સખત કરી દીધા
સેબીના જણાવ્યાનુંસાર ઈન્ટર સ્કીમ ટ્રાન્સફર અથવા તેના જેવી યોજનાઓ પર વિચાર કરતા રહેલા બજારની ઉધારીનો ઉપયોગ કરવો ફંડ મેનેજરના વિવેક પર આઘારિત રહેશે. પરંતુ ફંડ મેનેજર્સને યૂનિટ હોલ્ડર્સ હેઠળ હિતોને ધ્યાનમાં રાખવાનું રહેશે. આ અંતર્હત બજારમાં ઉધારી તથા સિક્યોરિચી વેચવાનો વિકલ્પ કોઈ પણ સંયોજનમાં ઉપયોગમાં લઈ શકાશે. એમાં એ જરુરી નથી કે તે કોઈ ક્રમમાં હોય. જો બજાર ઉધારી અનેસિક્યોરીટી વેચવાના વિકલ્પનો ઉપયોગ નથી કરવામાં આવતો તો તેનું કારણ તથ્ય તરીકે દાખલ કરવામાં આવશે.
બજાર નિયામક ઈચ્છે છે કે ફંડ હાઉસ દરેક સ્કીમ માટે તરલ જોખમી વ્યવસ્થાપર મોર્ડલ રાખે, આનાથી એ સુનિશ્ચિત થશે કે ઉચિક તરલતા જરૂરીયાતો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય. સૂત્રોના જણાવ્યાનુંસાર એવું કરવાનો ઉદ્દેશ્ય તરલતા લાવવા ફંડ હાઉસને ઈન્ટર સ્કીમમાં ટ્રાન્સફરનો ઉપયોગ કરતા રોકવાનો છે. ફંડ હાઉસેપોતની યોજનાઓમાં પર્યાપ્ત તરલતા સુનિશ્ચિત કરવી પડશે જેથી તેનાથી બચી શકાય . સેબીના જણાવ્યાનુંસાર સિક્યોરિટીની કોઈ પણ ઈન્ટર સ્કીમમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી નહી આપે. સમયે જરુર પડે સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવશે.
જો ઈન્ટર સ્કીમ ટ્રાન્સફર બાદ સિક્યોરીટી ચાર મહિનાની અંદર ડિફોર્લ્ટ થાય છે તો ફંડ મેનેજરને આવી સિક્યોરિટીઝ ખરીદવા માટે ટ્રસ્ટીને સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે.