ગુજરાત ચુંટણીને લઇને આ વખતે સમિકરણ અને સમસ્યાઑ બદલાઈ છે. ત્યારે મહેસાણાનો ગઢ જીતવા રાજકીય પક્ષો બરાબરની મહેનતમાં લાગ્યા છે. જેમાં કોણ ફાવશે.એ સમય જ બતાવશે.
ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લાનું સમરાગણ
મોંઘવારી અને બેરોજગારી સહીતના પ્રશ્નો સામે આ વખતે જંગમાં કોણ બાજી મારશે?
ગત ચુંટણીમાં મહેસાણાની બેઠકો કબજે કરવામાં સફળ રહ્યું હતું
ભાજપનો ગઢ ગણાતા મહેસાણામાં વર્ષોથી અનેક બેઠકો ભાજપના નામે જ અકબંધ રહી છે. ગત ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના પવન વચ્ચે પણ ભાજપ મહેસાણાની બેઠકો કબજે કરવામાં સફળ રહ્યું હતું. પરતું આ વખતે સમિકરણ અને સમસ્યાઑ બદલાઈ છે. ત્યારે મોંઘવારી અને બેરોજગારી સહીતના પ્રશ્નો સામે આ વખતે જંગમાં કોણ બાજી મારે છે તે જોવું રહ્યું ! મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં કુલ 1730345 મતદાર છે. જેમાં 894709 પુરૂષ, 835593 સ્ત્રી અને 43 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે.
કડી વિધાનસભા વિસ્તાર
કુલ મતદારની સંખ્યા 280387
જાતિગત સમીકરણ અને મુખ્ય પ્રશ્ન
મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી નથી આપવામાં આવતું
ગ્રામ્ય વિસ્તારમાં 30 કરતા વધુ ગામના રસ્તા ના ઠેકાણા નથી
ખાખરીયા ટપ્પા વિસ્તારમાં રોડ રસ્તા ના ઠેકાણા નથી
સ્વાસ્થ્ય અને શિક્ષણ બાબતે ગ્રામ્ય વિસ્તાર પછાત
કડી શહેર અને રાજપુર વિસ્તારમાં પ્રદુષણ નો પ્રશ્ન
કેમિકલયુક્ત પાણી છોડવાને કારણે જમીન દૂષિત થવાનો પ્રશ્ન
ઓ એન જી સીમા જમીન સંપાદન બાદ વળતરનો પ્રશ્ન.
કડી તાલુકામાં નર્મદા કેનાલ હોવા છતાં તમામ ગામને સિંચાઈ નો લાભ નહીં
હાલના ઉમેદવાર
કોંગ્રેસ પ્રવીણભાઈ પરમાર
અભ્યાસ બીકોમ એલ એલ બી
પ્રવીણ પરમાર 27 વર્ષ ની ઉંમરે કણજરી ગામના સરપંચ બન્યા હતા
વર્ષ 2006 માં યુથ કોંગ્રેસ મંત્રી
વર્ષ 2015 થી વર્ષ 2020 સુધી જિલ્લા પંચાયત મહેસાણામાં સિંચાઈ સમિતિના ચેરમેન
વર્ષ 2015માં કડી ના કદાવર નેતા વિનોદ પટેલે ને સામાન્ય બેઠક જિલ્લા પંચાયત બેઠક કૈયલમાં હાર આપી હતી
સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં અગ્રેસર
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકી
કરશનભાઇ સોલંકી ધોરણ 4 પાસ છે
નીતિનભાઈ પટેલ ના પ્રયાસ થી બીજી વખત ટીકીટ મળી છે
વર્ષ 2017માં કરશન સોલંકી કડી બેઠક જીત્યા હતા
ફરીથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે
પક્ષમાં કોઈ મહત્વપૂર્ણ યોગદાન નથી
નીતિન પટેલ ની વફાદારીને કારણે ચાન્સ
ગત ચૂંટણીમાં પરિણામ
વર્ષ 2017માં ભાજપના કરશનભાઇ સોલંકી 17400 મતથી વિજેતા બન્યા હતા
કરશનભાઇ સોલંકીએ 74000 મત મેળવ્યા હતા
કોંગ્રેસના રમેશ ચાવડાની હાર થઈ હતી
વિજાપુર બેઠક
કુલ મતદારની સંખ્યા 224700
વિજાપુર વિધાનસભાના મુખ્ય પ્રશ્ન
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકો જાહેર કરવાની વર્ષો જૂની માગણી યથાવત
વિજાપુર તાલુકામાં નદી કાંઠા સિવાય ના વિસ્તારમાં સિંચાઈ નો પ્રશ્ન
વિજાપુર તાલુકાના 20 ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન
વિજાપુર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં અસમાનતા
ગ્રામ્ય વિસ્તારના રોડ હજુ પણ તૂટેલા
20 ગામની પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરિત જાહેર કરાયા બાદ હજુ નવા બન્યા નથી
વિજાપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ નો પ્રશ્ન
ભાજપ રમણભાઈ ડી પટેલ
રમણભાઈ ડી પટેલ હાલ વિજાપુરના સીટીંગ એમ એલ એ છે.અને તેમને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા છે.રમણભાઈ પટેલ સહકારી અને રાજકીય ક્ષેત્રે દબદબો ધરાવે છે.
હાલમાં રમણભાઈ પટેલ વિજાપુરના ધારાસભ્ય હોવાની સાથે સાથે વિજાપુર એપીએમસીના ચેરમેન પણ છે
રમણભાઈ પટેલ વર્ષ 2007 થી વર્ષ વર્ષ 2012 દરમિયાન મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે
હાલમાં વિજાપુર ભાજપ ના 5 મોટા નેતા રમણભાઈ પટેલથી નારાજ હોવાને કારણે તેમની ટીકીટ જાહેર થયા બાદ કમલ્મ સુધી હોબાળો થયો હતો
કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડા
સી જે ચાવડા ગાંધીનગર બેઠક બદલીને વિજાપુર બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે
કોંગ્રેસમાં મોટા ગજાના નેતા તરીકે ઓળખાય છે સી જે ચાવડા
સી જે ચાવડા વિજાપુર તાલુકાના વસાઈ ગામના વતની છે
ક્ષત્રિય મતદારોમાં દબદબો ધરાવે છે
ગત ચૂંટણીનું પરિણામ
આ બેઠક ભાજપ ના રમણભાઈ પટેલે 1114 મત થી જીતી હતી
કોંગ્રેસના નાથાભાઇ પટેલ 1114 મતથી આ બેઠક હાર્યા હતા
ખૂબ ઓછા માર્જિનની હાર જીત માટે આ બેઠક જાણીતી છે
મહેસાણા વિધાનસભા
કુલ મતદારો 280634
મહેસાણા વિધાનસભા વિસ્તારના મુખ્ય પ્રશ્ન
મહેસાણા શહેરના માનવ આશ્રમ વિસ્તારની 40 કરતા વધુ સોસાયટીને હજુ નર્મદાનું પાણી નથી મળ્યું
મહેસાણા શહેરમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હજુ પણ યથાવત
મહેસાણા વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ઓ એન જી સી દ્વારા થતી જમીન સંપાદન ની કામગીરી બાદ યોગ્ય વળતર નહિ મળતું હોવાનો પ્રશ્ન
મહેસાણાના ગ્રામ્ય વિસ્તાર પૈકી હજુ પણ 10 ગામના રસ્તાના ઠેકાણા નથી
મહેસાણા શહેરમાં મહેસાણા2 વિભાગની તુલનામાં મહેસાણા 1 વિસ્તારનો વિકાસ નહિવત
ધોબીઘાટ વિસ્તારની 40 સોસાયટી અશાંત ધારા મુદ્દે પરેશાન.આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની વર્ષો જૂની માગણી
મહેસાણા તાલુકામાં સિંચાઈ માટે સુજલામ સુફલામ યોજના સિવાય સિંચાઈ માટે અન્ય કોઈ સગવડ નહીં
મહેસાણા જી આઈ ડી સીમા નવા ઉદ્યોગ શરૂ થવાની બદલે ચાલુ યુનિટ બંધ થઈ રહ્યા છે
ભાજપ ઉમેદવાર મુકેશકુમાર ડી પટેલ
મુકેશભાઈ મહેસાણા શહેર ભાજપ પ્રમુખ
મુકેશભાઈના પ્રમુખ પદ દરમિયાન મહેસાણા નગરપાલિકા 44 પૈકી 37 બેઠક જીતી હતી
મુકેશભાઈ પટેલ બળ ઓબ્જેર્વેશન હોમમાં પણ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે
મહેસાણાના જાણીતા તબીબ ડો.અનિલ પટેલના નાનાભાઈ છે મુકેશ પટેલ
મુકેશ પટેલ મહેસાણાના સૌથી મોટા 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલ
પી કે પટેલ વર્ષ 2017 થી 2021 સુધી મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ
પી કે પટેલ ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલ
84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે પીકે પટેલ
અગાઉ નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં ચૂંટણી લડ્યા અને હાર્યા હતા
મહેસાણાના જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને અપાઈ છે ટીકીટ
છેલ્લી ચૂંટણીનુ પરિણામ
ભાજપના નીતિનભાઈ પટેલ વર્ષ 2017માં આ બેઠક 6875 મતથી જીત્યા હતા
કોંગ્રેસના જીવાભાઇ પટેલની હાર થઈ હતી
આ બેઠક મહેસાણા શહેરના 800000 મતને કારણે ભાજપનો ગઢ માનવામાં આવે છે
બેચરાજી વિધાનસભા
કુલ મતદાર ની સંખ્યા 257850
મુખ્ય પ્રશ્ન
બહુચરાજી વિધાનસભામાં આવતા 137 ગામ વિકાસથી વંચિત
છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું બજેટ આ વિધાનસભામાં ફળવાયું છે
બહુચરાજી તાલુકાના 20 કરતા વધુ ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન
શિક્ષણની સ્થિતિ પણ ખાડે ગયેલી 22 ગામમાં ઓરડા જર્જરિત જાહેર કર્યા બાદ નવા બન્યા નથી
બહુચરાજી યાત્રાધામ હોવા છતાં તેનો જોઈએ તેટલો વિકાસ થયો નથી
યાત્રાધામમાં યાત્રાળુઓને આકર્ષી શકાય તેવું કોઈ મોટું આકર્ષણ નથી
બહુચરાજી આજુબાજુ અનેક કંપની લાવવાનો દાવો છતાં સ્થાનિક લોકો ને રોજગારી નથી મળી
સૂર્યમંદિરના વિકાસની વાત વચ્ચે પ્રવાસીઓને આકર્ષી શક્યા નથી
બહુચરાજીમાં નવા બનેલા નવા મંદિર ની ઊંચાઈ 8 ફુટ ઓછી રહેતા ધાર્મિક લાગણી દુભાઈ છે
હાલના ઉમેદવાર કોંગ્રેસ ભોપાજી ઠાકોર
ભોપાજી ઠાકોર વર્ષ 2012 થી વર્ષ 2017 દરમિયાન મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે
મહેસાણા જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ છે
કોંગ્રેસ સાથે છેલ્લા 25 વર્ષ થી જોડાયેલ છે
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર
સુખાજી ઠાકોર વર્ષ 2012 થી વર્ષ 2014 સુધી મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે
સુખાજી ઠાકોરની વર્ષ 2021માં બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ હતી
સુખાજી ઠાકોરનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લો છે
છેલ્લા 20 વર્ષ થી બહુચરાજી ખાતે નિવાસ કરે છે
ગત ચૂંટણીનું પરિણામ
કોંગ્રેસના ભરત ઠાકોરનો 15600 મત વિજય થયો હતો
ભરતજી ઠાકોરને 76000 મત મળ્યા હતા
રજનીભાઇ પટેલને 61200 મત મળેલ હતા
ખેરાલુ વિધાનસભા
કુલ મતદારની સંખ્યા 224235
ખેરાલુ તાલુકાના મુખ્ય પ્રશ્ન
મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકો વિકાસથી વંચિત તાલુકો ગણાય છે
આ વિધાનસભામાં 90 ટકા લોકો ખેતી ઉપર નિર્ભર હોવા છતાં સિંચાઈ માટે કોઈ સુવિધા નથી
ધરોઈ ડેમ આ વિધાનસભામાં હોવા છતાં સ્થાનિક વિસ્તારને તેનો કોઈ લાભ નથી
ખેરાલુ વિધાનસભાના 23 ગામમાં પીવાના પાણીનો પણ પ્રશ્ન
ખેરાલુમાં એક પણ મોટો ઉદ્યોગ નથી
ખેરાલુમાં જીઆઈડીસીનું બાળ મરણ થયું છે
શિક્ષણ માટે પણ આ વિસ્તારમાં ખૂબ ઓછી સવલત ઉપલબ્ધ છે
ખેરાલુ તાલુકાના ખેડૂતોની ચીમનબાઈ સરોવર ભરવાની માગણી યથાવત છે
ભાજપ સરદારભાઈ ચૌધરી
સરદારભાઈ ચૌધરી ખેરાલુ તાલુકાના ફતેહપુરા ગામના વતની છે
સરદાર ચૌધરી હાલમાં દુધડાગાર ડેરીમાં ડિરેકટર તરીકે ચૂંટાયેલા છે
વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીની ચૂંટણી જીત્યા બાદ સરદાર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા
વર્ષ 2017માં પણ તેમણે ભાજપની ટીકીટ માગી હતી
વર્ષ 2017માં ચૂંટણી પૂર્વે હિરવાણી ગામે વડાપ્રધાન મોદીના જન્મ દિવસ ની ઉજવણીનું પણ આયોજન કર્યું હતું
સહકારી અગ્રણી સિવાય રાજકીય ક્ષેત્રે સરદારભાઈ ચૌધરીનું ખેરાલુ તાલુકા માટે કોઈ મોટું યોગદાન નથી.
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ
મુકેશ દેસાઈ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી અપક્ષ લડ્યા હતા
કોંગ્રેસએ ટીકીટ નહીં આપતા અપક્ષ ચૂંટણી લડનાર મુકેશ દેસાઈએ 2017માં 38500 મત મેળવ્યા હતા
મુકેશ દેસાઈ ખેરાલુ વિસ્તારમાં 108 તરીકે ઓળખાય છે
ખેરાલુ બજાર વેપારી મંડળના તેઓ પ્રમુખ છે
ખેરાલુ નાગરિક બેન્કના પણ ચેરમેન છે
સ્થાનિક સ્તરે મુકેશભાઈ દેસાઈ સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ ધરાવે છે
અપક્ષ રામસિંહ ઠાકોર
પાટણના હાલના સાસંદ ભરતસિંહ ડાભીના નાના ભાઈ હાલ ખેરાલુ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડી રહયા છે.
ભાજપએ ટીકીટ નહીં આપતા રામસિંહએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે
ઠાકોર સમાજમાં મોટું નામ ધરાવે છે રામસિંહ ઠાકોર
ઠાકોર સમાજના સૌથી વધુ મત હોવાને કારણે રામસિંહ ઠાકોર ચૂંટણીના પરિણામ બદલી શકે છે
ગત ચૂંટણીના પરિણામ 2017માં આ બેઠક ભરતસિંહ ડાભી 15432 મત થી જીત્યા હતા.તે વખતે કોંગ્રેસ ના રામજી ઠાકોરે 38214 મત મેળવ્યા હતા.જ્યારે અપક્ષ ના મુકેશ દેસાઈ એ 38500 મત મેળવ્યા હતા.
ભરતસિંહ ડાભીએ પાટણ સાસંદની ચૂંટણી લડવા રાજીનામુ આપતા આ બેઠક ખાલી પડી હતી
પેટા ચૂંટણીમાં ભાજપે મલેકપુર ગામના અજમલજી ઠાકોરને ટીકીટ આપી હતી
અજમલજી ઠાકોર સામે કોંગ્રેસએ બાબુજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા
અજમલજી ઠાકોરે આ ચૂંટણી 16232 મતથી જીતી લીધી હતી
વિસનગર વિધાનસભા
કુલ મતદારની સંખ્યા 229669
આ બેઠક ઉપર ઠાકોર,ચૌધરી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ