ટ્રેનની કોચમાં એક પિતા તેની 8 વર્ષની પુત્રી સાથે ચઢ્યો હતો જે સંપૂર્ણ રીતે ક્રેશ થઈ ગયો હતો પણ દીકરીએ બારી પાસે બેસવાની જિદ્દ કરી એટલે બંનેનો જીવ બચી ગયો.
ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા
એક પિતા તેની 8 વર્ષની પુત્રી સાથે ટ્રેનમાં ચઢ્યો હતો
અન્ય પેસેન્જરને વિનંતી કરીને તેની સીટ બદલી હતી
ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે સાથે જ 900 જેટલા લોકો ઇજાગ્રસ્ત થાય છે. પણ ઘણા લોકો એવા છે જએમના નસીબે એમનો સાથે અપાયો અને તેઓ બચી ગયા છે. આઆવો જ વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. વાત એમ છે કે એ ટ્રેનની કોચમાં એક પિતા તેની 8 વર્ષની પુત્રી સાથે ચઢ્યો હતો જે સંપૂર્ણ રીતે ક્રેશ થઈ ગયો અને તેમાં હાજર મોટાભાગના લોકોના મોત થઈ ગયા. જો કે સંજોગોવસાત એવું બન્યું કે અકસ્માત પહેલા તેને અને તેની પુત્રીની સીટ બદલી નાખી હતી, જેના કારણે તેણે મૃત્યુને હરાવ્યું હતું.
Balasore train accident: Death toll revised to 275
વાત એમ છે કે પિતા એમ કે દેબ અને તેમની પુત્રી ખડગપુરથી ટ્રેનમાં ચઢ્યા હતા અને કટક ઉતરવાના હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની શનિવારે ડોક્ટર સાથે એપોઇન્ટમેન્ટ હતી. ટ્રેનમાં ચઢ્યા એ સમયે તેની પાસે થર્ડ એસી કોચની ટિકિટ હતી પણ ત્યારે તેની આઠ વર્ષની દીકરીએ બારી પાસે બેસવાનો આગ્રહ કર્યો. એમની પાસે વિન્ડો સીટ ટિકિટ નહોતી એટલે તે ટીસી પાસે ગયો અને ટીસીએ તેને કહ્યું કે આ સમયે વિન્ડો સીટ ખાલી નથી, જો તે ઈચ્છે તો અન્ય પેસેન્જરને વિનંતી કરીને તેની સીટ બદલી શકે છે.
એ બાદ પિતાએ દીકરીની જીદ સામે ત્રીજા કોચના બે મુસાફરો સાથે વિન્ડો સીટ લેવાની વાટ મૂકી અને તે બંને માની ગયા. તેના કોચના બે કોચ છોડી ત્રીજા કોચમાં એમને સીટ એક્સ્ચેન્જ કરી. ડાબે અને તેમની પુત્રી આવીને આ બે મુસાફરોની સીટ પર બેઠા અને આ મુસાફરો તેમના કોચમાં ગયા. આ બધાની થોડીવાર પછી આ ટ્રેન અકસ્માત થયો જેમાં 288 લોકોના મોત થયા હતા.
"Electronic interlocking" behind Balasore train accident: Railway Minister
આ વિશે વાતકરતાં પિતાએ જણાવ્યું હતું કે બે મુસાફરોની સ્થિતિ વિશે તેઓ હાલ નથી જાણતા. અમે તેમના સુરક્ષિત જીવન માટે પ્રાર્થના કરીએ છીએ. સાથે જ એમને જણાવ્યું કે જે કોચમાં એમની ટિકિટ હતી તે ઘણો ક્ષતિગ્રસ્ત થયો હતો અને અમે જે કોચમાં બેઠા હતા તેમાં લગભગ તમામ મુસાફરો સુરક્ષિત હતા.