મહારાષ્ટ્ર સરકારમાં મંત્રાલયોની વહેંચણી ફાઈનલ થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર સૌથી વધારે મંત્રાલય NCPએ પોતાની પાસે રાખ્યા છે જ્યારે સૌથી ઓછા મંત્રાલય કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સરકાના મંત્રાલયોની વહેંચણી નક્કી થઈ
NCPને 16, શિવસેનાને 15 અને કોંગ્રેસને 12 મંત્રાલય અપાયા
વિભાગના નામ પર મહોર લાગી નથી, નિર્ણય જલ્દી જ લેવાશે
મહારાષ્ટ્રમાં અનેક દિવસો સુધી ચાલી રહેલી વાતચીત બાદ મંત્રાલયોની વહેંચણીની નવી ફોર્મ્યુલા નક્કી થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં સરકારમાં જ્યાં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની પાસે સૌથી વધારે મંત્રાલય હશે જ્યારે સૌથી ઓછા મંત્રાલય કોંગ્રેસ પાર્ટી પાસે હશે. એનસીપી પાસે 16 મંત્રાલય, શિવસેનાની પાસે 15 અને કોંગ્રેસની પાસે 12 મંત્રાલય હશે.
NCPને ડેપ્યુટી સીએમ પદ મળશે કે નહીં તે વિશે કોઈ સહમતિ નહીં
જો કે હાલ સુધી કેબિનેટ વિસ્તાર પર કોઈ નિર્ણય આવ્યો નથી. મળતી માહિતી અનુસાર વિભાગોની વહેંચણીનો નિર્ણય સામે આવ્યો છે. આમ તો એનસીપીને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવે તેની ચર્ચાઓ પણ થઈ રહી છે પરંતુ હાલ સુધી આ નામ પર કોઈની પણ સહમતિ મળી રહી નથી. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ પદના શપથ લઈને રાજીનામું આપી ચૂકેલા અજિત પવાર ઉદ્ધવ ઠાકરેની સરકારમાં ડેપ્યુટી સીએમ પદ માંગી રહ્યા છે. જેની પર સહમતિ બની રહી નથી.
આ મંત્રાલયોને લઈને નિર્ણય લેવાનો બાકી
આ પહેલાં પણ સૂત્રોએ દાવો કર્યો હતો કે શિવસેનાને શહેરી વિકાસ, હાઉસિંગ, સિંચાઈ અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવા મંત્રાલયો મળી શકે છે. જ્યારે એનસીપી ગૃહ, નાણાં, યોજનાઓ, વીજળી અને વન મંત્રાલય જેવા પદ પોતાની પાસે રાખી શકે છે. કોંગ્રેસને રાજસ્વ, પીડીડબ્લ્યૂડી અને એક્સાઈઝ મંત્રાલય મળવાની શક્યતા છે. ઉદ્યોગ, સ્કૂલ અને ટેકનિકલ શિક્ષા, સ્વાસ્થ્ય અને મેડિકલ શિક્ષા મંત્રાલયને લઈને નિર્ણય લેવાયો નથી.
ગઠબંધનની સરકારના આધારે એનસીપીને ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધી તેની પર કોઈની નિમણૂંક થઈ નથી. સાથે ઉદ્ધવ કેબિનેટનો વિસ્તાર પણ હાલ સુધી થઈ શક્યો નથી. ચર્ચા છે કે મંત્રાલયોને લઈને અંતિમ સહમતિ બની શકી નથી.
શરદ પવારે કહી આ વાત
શરદપવારે કહ્યું હતું કે મંત્રાલયને લઈને તેમની પાર્ટી એનસીપી અને શિવસેનાની વચ્ચે કોઈ ઝઘડો નથી. આ કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે છે. પવારે કહ્યું કે એનસીપીની પાસે શિવસેનાથી 2 સીટ ઓછી છે જ્યારે કોંગ્રેસથી 10 સીટ વધારે છે. તેઓએ કહ્યું કે શિવસેનાની પાસે મુખ્યમંત્રી છે તો કોંગ્રેસ પાસે સ્પીકર છે. મારી પાર્ટીને શું મળ્યું?