સેટેલાઇ, ગુપ્તચર એરક્રાફટ, લડાખૂ વિમાન, હેલિકોપ્ટર અને જમીન પર ઉપસ્થિત સૈનિક દ્વારા ગુમ થયેલ ભારતીય વિમાન AN-32ને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી અરૂણાચલ પ્રદેશના જંગલી વિસ્તારમાં કંઇ ખબર મળી નથી.
એવુ માનવમાં આવી રહ્યું છે કે વિમાન અલોંગ-પાયૂમ-તાતોના સંભિવત દૂર્ઘટના ક્ષેત્રમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું હોય. આ વિમાનમાં આધુનિક રડાર અથવા ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર હતુ નહીં. આ AN-32 વિમાનનું એ મોડલ છે જેને અપગ્રેડ કરવામાં આવ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનને લઇને વિમાનના સર્ચ ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે.
ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 અસમના એરબેઝથી ઉડાન ભર્યા બાદ લાપતા થઇ ગયું છે. વાયુસેનાનુ પરિવહન વિમાન એનટોનોવ AN-32 સાથે છેલ્લો સંપર્ક સોમવારે અંદાજે 1 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારબાદથી વિમાન સાથે કોઇ સંપર્ક થયો નથી.
વિમાનમાં કુલ 13 લોકો સવાર હતા, જેમાં 8 ક્રુ મેમ્બર અને 5 અન્ય લોકો સામેલ છે. ભારતીય વાયુસેના વિમાનની શોધ કરવાને લઇને દરેક પ્રકારની વ્યવસ્થા કરી રહી છે. જેમાં સી-130જે, સી 130 હરક્યૂલિસ, સુખોઇ સૂ-30 ફાઇટર જેટ સામેલ છે. આ સિવાય મેદાનમાં તૈનાત સૈનિક પણ વિમાનની શોધખોળ કરી રહ્યાં છે.
ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે કેટલાંક મળતાં અહેવાલ મુજબ સંભવિત દૂર્ઘટના સ્થળ મળી આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. ઇન્ડિયન એરફોર્સના વિમાનની શોધ માટે ભારતીય સેના, અલગ સરકારી અને સિવલ એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે. ભારતીય સેનાના હવાઇ અને જમીની દળો દ્વારા રાતથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.