શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરના અનંતનાગના નૌશેરામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું છે. અથડામણમાં જમ્મૂ-કશ્મીરના એક પોલીસકર્મી ઘાયલ થયા બાદ શહીદ થયા છે. હેડ કોન્સ્ટેબલ એચ.સી.હબીબુલ્લાહ આ અથડામણમાં શહીદ થયા છે.
તો એન્કાઉન્ટરમાં એક સ્થાનિક મહિલા પણ ઘાયલ થઈ છે. અનંતનાગમાં ચાર આતંકીઓ છૂપાયા હોવાની આશંકા સેવાઈ છે. જેથી સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ કરી ઓપરેશન હાથ ધર્યું છે. આ સિવાય અનંતનાગમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે 17 જૂનના રોજ સીઝફાયર પૂર્ણ કરવાનું એલાન કર્યુ હતું. જ્યારબાદથી જ રાજ્યમાં સેનાએ પોતાના ઓપરેશન શરૂ કરી દીધુ હતું.
ત્રાલમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા
ગત ગુરૂવારે પણ સેનાએ પુલવામાંના ત્રાલમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં એક સ્થાનિક નાગરિક પણ ઇજાગ્રસ્ત થયો હતો. જણાવી દઇએ કે આતંકવાદી આકિબ હીનાસના ઘરમાં છુપાયેલ હતા. આકિબને થોડા સમય પહેલા જ એન્કાઉન્ટરમાં મારી દેવાયો હતો.