સુરતમાં રત્નકલા એક્સપોર્ટ પર આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડોમાં કેટલાક બિનહિસાબી વ્યવહારો પણ સામે આવ્યા
સુરતમાં રત્નકલા એક્સપોર્ટ પર ITનું સર્ચ પૂર્ણ
સર્ચ દરમિયાન બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા
રોકડ વ્યવહારનો હિસાબમાં ઉલ્લેખ નહી
સુરતમાં રત્નકલા એક્સપોર્ટ પર આયકર વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા આ દરોડોમાં કેટલાક બિનહિસાબી વ્યવહારો પણ સામે આવ્યા છે. કેટલાક રોકડ વ્યવહાર હિસાબમાં દર્શાવવામાં ન આવતા આવક વેરા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં 518 કરોડના હીરાનું રોકડથી વેચાણ કરાયું હોવાનું પણ સામે આવ્યું છે.
સર્ચ દરમિયાન બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા
આયકર વિભાગે મોરબીના ટાઈલ્સના વેપારીની 81 કરોડની બિનહિસાબી આવક પણ ઝડપી પાડી છે, જ્યારે રત્નકલા એક્સપોર્ટ પાસેથી રોકડથી હીરા ખરીદનારની પણ એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 10.89 કરોડના બિન હિસાબી હીરાનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આવકવેરા વિભાગે સમગ્ર મામલે દસ્તાવેજ, હાર્ડડિસ્ટ સહિતના ડેટા પણ સર્ચ કરી રહી છે, આયકર વિભાગના આ દરોડાની કામગીરી દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા રૂપિયા 3.50 કરોડની રોકડ અને જ્વેલરી સહિત 10 લોકર પણ સીલ કરી દેવામાં આવ્યા છે.
રોકડ વ્યવહારનો હિસાબમાં ઉલ્લેખ નહી
બિનહિસાબી વ્યવહાર મળ્યા બાદ આવકવેરા વિભાગ દ્વારા તમામ ખાતાઓ, બેન્ક એકાઉન્ટ,ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સહિત માહિતીની ઝિણવટ ભરી તપાસ કરવામાં આવી જેમાં બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા હતા. સુરતમાં રત્નકલા એક્સપોર્ટ પર આયકર વિભાગનું સર્ચ પૂર્ણ થઈ ગયું છે, હવે આયકર વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.