નવસારીઃ બોરસીમાછીવાડમાં આજે પણ દરિયો તોફાને ચડ્યો છે. બે દિવસ પહેલા ગામની આગળ રહેલી દિવાલ તુટતા દરિયાનું પાણી ગામમાં ઘુસવા લાગ્યું હતું. જોકે દરિયામાં હાલ ભરતી હોવાથી દરીયાના મોજા 15થી 20 ફૂટ જેટલા ઉચા ઉછળી રહ્યાં છે.
બીજી બાજુ પુર જોશમાં પવન સાથે વરસાદી ઝાપટા પણ ચાલું છે. એવામાં ગ્રામજનોની સ્થિતિ દયનિય બની છે. બીજી તરફ પૂરની તમામ સ્થિતિને પહોંચી વળવાના હવાતીયા ફૂંકતી સરકારનો એક પણ પ્રતિનીધી ફરયા નથી.
ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું જમીન રસ્તે દરિયો બની જશે પછી હવાઈ રસ્તે મદદે પહોંચશે તંત્ર? શું બોરસી ગામનું અસ્તિત્વ મીટવાની રાહ જોઈ રહ્યા છે અધિકારીઓ? શું સરકાર આ ગામની પરિસ્થિતિથી હજૂ પણ અજાણ છે?
શહેરમાં વધુ એક વખત પડેલા ભારે વરસાદની અસર હવે દરિયાના મોજાઓ પણ જોવા મળી છે. બોરસી ગામનો દરિયો તોફાની બનતા આસપાસના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કરી નાખ્યા હતા.
કબ્રસ્તાનનું થયું ધોવાણ
તો બીજી તરફ દરિયાનું પાણી ગાંડુ તુર બનતા જલાલપુર તાલુકામાં આવેલા એક કબ્રસ્તાનનું પણ ધોવાણ થયું હતું. કબ્રસ્તાનનું ધોવાણ થતા મૃતકોના સગા સબંધીઓના સરનામાં ખોવાયા છે. તો અનેક સમાધિઓ રેતીના નીચે દબાઈ ગઈ છે.