પોરબંદરમાં દરિયાની ખારાશથી ખેતરો બિન ઉપજાઉ બની રહ્યા છે તો બીજી તરફ લોકો ખૂબ મહેનત બાદ વસાવેલા ઘરોને ટૂંકા ગાળામાં જ લૂણો લાગી રહ્યો છે
પોરબંદરમાં લોકોના ઘર અને આરોગ્ય સુધી દરિયાની ખારાશ
દરિયાની ખારાશથી ખેતરો બિન ઉપજાઉ બની રહ્યા છે
સૌંદર્યના ભીતર હાડમારીની વાત અને ખારાશથી સંકોચાતું જીવન
આપણુ રાજ્ય ગુજરાત 1600 કી.મી લાંબો દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારાના અનેક સ્થળો બારેમાસ પ્રવાસથી ધમધમતા રહે છે. દરિયાથી આપણા અર્થતંત્રને પણ ઘણો ફાયદો મળી રહ્યો છે પરંતુ આ આનંદ અને લાભની વાતોથી વિપરિત દરિયા કિનારાની નજીક વસતા લોકોની હાડમારી વિશે જ્યારે તમે સાંભળશો તો તમને દરિયાના પાણી ખરેખર ખારા લાગવા માંડશે.
સૌંદર્યના ભીતરની હાડમારીની વાત
અફાટ સમુદ્ર કિનારાના આવા દ્રશ્યો માત્રથી આપણું ચિત્ત આનંદિત થઈ ઉઠે છે ત્યારે આવા સમુદ્ર કિનારે ફરવા જવાનો તો આનંદ જ કંઈક અનેરો હોય છે. આપણુ રાજ્ય ગુજરાત 1600 કી.મી લાંબો દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારાના અનેક સ્થળો બારેમાસ પ્રવાસથી ધમધમતા રહે છે. દરિયાથી આપણા અર્થતંત્રને પણ ઘણો ફાયદો મળી રહ્યો છે પરંતુ આ આનંદ અને લાભની વાતોથી વિપરિત દરિયા કિનારાની નજીક વસતા લોકોની હાડમારી વિશે જ્યારે તમે સાંભળશો તો તમને દરિયાના પાણી ખરેખર ખારા લાગવા માંડશે. પોરબંદર જિલ્લો અંદાજે 106 કી.મી લાંબો દરિયા કિનારો ધરાવે છે આ દરિયાકિનારા નજીક ટુકડા અને ગોસા જેવા બીજા અનેક ગામો આવેલા છે પરંતુ આપણને મનોહર લાગતો આ દરિયા કિનારો આ સ્થાનિક લોકોના જીવન માટે જાણે હવે ખારા વખ સમાન બની ગયો છે. અહીં ખેતરોથી માંડીને લોકોના ઘર અને આરોગ્ય સુધી દરિયાની ખારાશ વ્યાપી ગઈ છે.
દરિયાની ખારાશથી ખેતરો બિન ઉપજાઉ બની રહ્યા છે તો બીજી તરફ લોકોએ ખૂબ મહેનત બાદ વસાવેલા ઘરોને ટૂંકા ગાળામાં જ લૂણો લાગી રહ્યો છે. અધૂરામાં પૂરું દરિયાની ખારાશ સ્થાનિક લોકોના આરોગ્ય માટે પણ ઝેર સમાન બની રહી છે.
આગળ વધતી ખારાશ, સંકોચાતું જીવન
દરિયાની ખારાસ ને કારણે થતી મુશ્કેલીઓ જાણવા અમે ટુકડા ગામે પહોંચ્યા હતા. ટુકડા ગામે પહોંચતા ત્યાં અનેક ખેતરો વાવણી વગરના જોવા મળ્યા. જેમાં વાવણી થઈ હતી તેમાં ક્યાંક જ આછોપાંખો પાક ઊગેલો દેખાતો હતો. અહીં દરિયાની ખારાશને કારણે પાક સંપૂર્ણ પણ નિષ્ફળ જોવા મળી રહ્યો હતો. ખેડૂતો દ્વારા મહેનત કરી ઘઉં અને ચણા જેવા પાકનું વાવેતર કરવામા આવ્યું હતું પરંતુ રોકાણ અને મહેનતનું વળતર મળે તેવા ઉત્પાદનની કોઈ શક્યતા દેખાતી ન હતી. જેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
જમીન બની ગઈ બિનફળદ્રુપ
એટલું જ નહીં, અહીં પહેલા જે ખેડૂતો નાળિયેરીનું વાવેતર કરતા હતા ત્યાં હવે નાળિયેરી પણ હવે ઉગતી નથી. જેને કારણે ખેડૂતોની જમીન બંજર બનવા લાગી છે. ખેડૂતોની પરિસ્થિતિ જોયા બાદ અમે ટુકડિયા ગામમાં પ્રવેશ કર્યો તો ગામમાં પણ મોટા ભાગના મકાનોની દીવાલને લૂણો લાગી ગયો હતો. હજું પાંચ સાત વર્ષ પહેલા બનાવેલા મકાનોની દશા જાણે પચાસ વર્ષ જૂના મકાનો હોય તેવી દેખાતી હતી. અનેક મકાનોના પોપડા ખરેલા હતા તો અનેક મકાનોની દીવાલો અને મકાનના સ્લેબમાં તિરાડો જોવા મળતી હતી. આમ જ્યારે દરિયાની ખારાશને કારણે ખેતીની જમીન, રહેણાંકના મકાનો અને સ્થાનિક લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે ત્યારે દરિયાઈ બાબતોના નિષ્ણાતો દરિયાની ખારાશને વધતી અટકાવવા માટે કંઈક આ પ્રકારના સૂચન કરી રહ્યા છે.
દરિયાની ખારાશ ને રોકવા માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ નહીં ધરાય તો દિવસે ને દિવસે આ ખારાશ આગળ વધતી રહેશે અને અનેક લોકોના જીવન પર સંકટ ઊભું થશે. આથી પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે.