પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સી પ્લેનની સુવિધાને કોઈની નજર લાગી હોય તેમ ફરીથી વધુ એકવાર 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સર્વિસિંગ માટે સી પ્લેનને માલદીવમાં મોકલવામાં આવનાર છે જેને લઈને આગામી 10 દિવસ સુધી સી પ્લેનની સુવિધા બંધ રહેવાના અહેવાલ છે.
અમદાવાદમાં સી પ્લેન સેવા 10 દિવસ માટે બંધ
એરક્રાફ્ટ સર્વિસ માટે સી-પ્લેન માલદીવ મોકલાયુ
માત્ર 800 મુસાફરો જ મુસાફરીનો લાભ લઇ શક્યા
31મી ઓક્ટોબરના રોજા પ્રધાનમંત્રી મોદીએ તેમની ગુજરાતની કેવડિયા અને અમદાવાદ યાત્રા દરમિયાન સી પ્લેન સેવાનું ઉદ્ઘઘાટન કર્યું હતું, અમુક રિપોર્ટસની વાત જો સાચી માનીએ તો આ દેશની પહેલી સી પ્લેન સેવા હતી, અને અમદાવાદના સાબરમતી ખાતેથી ઉડ્ડયન કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મુસાફરી કરાવતી હતી.જો કે હવે આ સી પ્લેનને પ્રવાસીઓ આગામી 10 દિવસ માટે નહીં માણી શકે કેમ કે તેને સર્વિસિંગ માટે માલદીવ મોકલવામાં આવશે.
મહિનામાં બીજી વાર બંધ થયું સી પ્લેન
ઉલ્લેખનીય છે કે હજુ આ સેવાને પૂર્ણ રૂપે શરુ થયાને એક મહિનાઓ સમય પણ વીત્યો નથી અને એટલામાં જ આ પ્લેન સુવિધા મહિનાની અંદર જ બીજી વાર બંધ રાખવામાં આવી રહી છે, આ મહિનામાં જ આ પહેલા પણ એકવાર મેઇન્ટેનેન્સ માટે સેવા બંધ રખાઈ હતી, ત્યારે વધુ એક વાર 10 દિવસના લાંબા સમય માટે સેવા બંધ રાખવાથી પ્રવાસીઓને હવે વધુ ઇંતેજાર કરવો પડશે।
સી પ્લેન સુવિધામાં અત્યાર સુધી માત્ર 800 લોકો જ તેનો લાંબા લઇ શક્યા છે અને નોંધનીય છે એક આ વર્ષનો અંતિમ મહિનો ખૂબ જ નજીક હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની પૂરી સંભાવના છે એવા સમયે અમદાવાદથી ડાયરેક્ટ કેવડિયા સુધીની કનેક્ટિવિટી ધરાવતી સી પ્લેન ની સુવિધા હાલ પૂરતો બંધ થવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટૂરિઝમને પણ ફટકો પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.