મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ખજુરાહો એરપોર્ટ પર ઠંડી ચા પિવડાવવાનો વિવાદ ગરમાઈ રહ્યો છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને એરપોર્ટ પર ઠંડી ચા આપી
એરપોર્ટ પર ઠંડી ચા પીવડાવવા બદલ નોટિસ ફટકારાઈ
કોંગ્રેસે કર્યા આકરાં પ્રહાર
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ખજુરાહો એરપોર્ટ પર ઠંડી ચા પિવડાવવાનો વિવાદ ગરમાઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, જ્યારે સીએમ શિવરાજ સિંહ 9 જૂલાઈના રોજ ખજૂરાહો એરપોર્ટ પર પહોંચ્યા તો, તેમને જૂનિયર અધિકારી પર ઠંડી ચા પિવડાવવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ રાજનગર એસડીએમે નોટિસ મોકલી હતી. જો કે, બાદમાં આ મામલો ચગ્યો તો નોટિસ પાછી લઈ લીધી.
અધિકારી દ્વારા ઠંડી ચા પિવડાવવાની વાત પર રાજનગર એસડીએમ દ્વારા નોટિસ જાહેર કરવા પર મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સત્તાધારી પાર્ટી ભાજપ પર પ્રહારો કર્યા હતા.
मामाजी को ठंडी चाय पिलाने पर फ़ूड इंडपेक्टर पर गिरी गाज…
छतरपुर के राज़नगर का मामला…
जनता को भले राशन तक ना मिले , पीड़ित को एम्बुलेंस ना मिले लेकिन मुखिया को चाय ठंडी नही मिलना चाहिये…? pic.twitter.com/lniF8kW0zs
કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ટ્વિટ કરતા લખ્યું છે કે, મામાજી ચાવાળાથી આટલી નફરત શા માટે, નફરત કોનાથી, આ વિવાદ બાદ મધ્ય પ્રદેશમાં રાજકીય પ્રહારો શરૂ થઈ ગયા હતા. જો કે, ઠંડી ચા પર નોટિસ મળ્યા બાદ વિવાદ વકરતો જોઈ નોટિસ રદ કરી દીધી હતી.
તેના તુરંત બાદ નોટિસ જાહેર કરનારા રાજનગરના સ્થાનિક એસડીએમ ડીપી દ્વિવેદી પોતાની વાત પરથી ફરી ગયા હતા અને મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ચા મુખ્યમંત્રીને નહીં પણ અમને પિવડાવી હતી. જો આ ચા તેમને આપવામા આવતી, તો વિપરીત સ્થિતિ ઊભી થઈ જાત.
भारी किरकिरी व कांग्रेस के विरोध के बाद छतरपुर के राजनगर में मामाजी को ठंडी चाय परोसने को लेकर एसडीएम द्वारा फ़ूड इंस्पेक्टर को दिया नोटिस कलेक्टर से किया निरस्त… pic.twitter.com/fAHSC0ct7B
તેમણે કહ્યું કે, એટલા માટે નોટિસ જાહેર કરવામાં આવી હતી તેના માટે રાકેશ કંહુઆને અધિકૃત કરવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, અમે લોકો 11.30 કલાકે લગભગ ચા પી રહ્યા હતા, તો એકદમ ઠંડી ચા હતી, જો આવી ચા વીવીઆઈપીને જાય તો, તે સારી બાબત નથી. એટલા માટે અમે નોટિસ મોકલી હતી.