SC/ST/OBCની અંદર ઉપવર્ગીકરણ કરી શકાય કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ મોટી બેંચને આપવામાં આવશે. પાંચ જજોની બેંચનું માનવું છે કે આવું કરવું એ વિધિસંમત જ છે.
SC/ST/OBCમાં ઉપસૂચી માટેની તૈયારી
મામલા પર વિચાર કરશે સાત જજોની ખંડપીઠ
અનામત વર્ગના પછાત વર્ગને લાભ આપવા વિચાર
SC/ST/OBCના પછાત વર્ગોને લાભ આપવા વિચાર
સુપ્રીમ કોર્ટ હવે વિચાર કરી રહ્યું છે કે શું SC/ST/OBCની અંદર અનામતનો લાભ જરૂરીયાતમંદોને આપવા માટે સમૂહોની કેટેગરી બનાવી શકાય કે નહીં. સુપ્રીમ કોર્ટની ઈચ્છા છે કે અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના અનામતનો લાભ તે સમૂહોને મળી શકે તે અત્યારે પણ ખૂબ પછાત છે.
સાત જજોની ખંડપીઠનું ગઠન
દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલે વિચાર કરવા માટે સાત જજોની એક સંવૈધાનિક બેંચનું ગઠન કર્યું છે અને આ ખંડપીઠ આ વિષય પર વિચાર કરશે કે શું SC/ST/OBCની સૂચીની અંદર જ એક ઉપસૂચી બનાવી શકાય જેથી તેનો ફાયદો આ ત્રણેયના પછાત વર્ગને મળી શકે.
ગુરુવારે કોર્ટે કરી સુનાવણી
આ મામલે સુનાવણી દરમિયાન ગુરુવારે અદાલતે કહ્યું કે જો રાજ્ય સરકાર પાસે અનામત આપવાની શક્તિ હોય છે તો ઉપ-વર્ગીકરણ એટલે કે sub classification કરવાની પણ શક્તિ રાખે છે અને આ પ્રકારના ઉપ-વર્ગીકરણને અનામત સૂચીમાં છેડછાડના સમાન માની શકાય નહીં.
કેટેગરી બનાવવાની તૈયારી
આ પહેલા 5 જજોની બેન્ચે કહ્યું કે ઉપ-વર્ગીકરણ કરી ન શકાય પણ હવે પાંચ જજોની બેંચ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઉપ-વર્ગીકરણ વિધિસંમત જ છે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેચ દ્વારા કહેવામાં આવ્યું કે રાજ્યની વિધાનસભા અનુસૂચિત જાતી સમૂહની અંદર અમુક વિશેષ જાતીઓની વિશેષ સુવિધા આપવા માટે કાયદો બનાવી શકે છે.
નોંધનીય છે કે વર્ષ 2005માં EV ચિન્નૈયા VS આંધ્રપ્રદેશ રાજ્યના કેસમાં કહેવામાં આવ્યું હતું કે જાતિઓમાં અંદર અલગ ઉપજાતીઓનું વર્ગીકરણ કરવું એ સંવૈધાનિક નથી. હવે ગુરુવારે ચુકાદા બાદ આ મામલો મોટી બેંચને આપવામાં આવશે.