CDCના અનુસાર સ્ક્રબ ટાઈફસ સુટસુગમુશી નામના જીવાણુથી થાય છે. ચિગર્સના કરડવાથી આ બેક્ટેરિયા ફેલાય છે.
રહસ્યમયી તાવ લઈ રહ્યો છે લોકોના જીવ
સ્ક્રબ ટાઈફસ તાવ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે
આ જગ્યાઓએ વધી રહ્યો છે સ્ક્રબ ટાઈફસનો આતંક
વરસાદની સીઝન આવતા જ મચ્છર જન્ય બીમારીનો પ્રકોપ વધી રહ્યો છે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવી ઘાતક બીમારીઓ આવી રહી છે ત્યારે યૂપીમાં અનેક જિલ્લામાં આ બીમારીઓ ફેલાઈ છે. ફિરોઝાબાદમાં સ્થિતિ ગંભીર છે. અહીં રહસ્યમયી તાવના કારણે 50થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મુખ્યમત્રીએ આ ખાસ તાવથી પીડિત લોકો માટે સ્વાસ્થ્ય શિબિર લગાવવાના આદેશ આપ્યા છે.
શું છે આ જીવલેણ તાવ
કોરોના વાયરસનું સંક્રમણ ખતમ થયું નથી કે આ રહસ્યમયી તાવે ચિંતા વધારી છે. દેશમાં 60થી વધુ લોકો આ તાવનો શિકાર બનીને મોતને ભેટ્યા છે. આ રહસ્યમયી તાવની ઓળખ સ્ક્રબ ટાઈફસના રૂપમાં થઈ છે. ચિગર્સ એટલે કે લાર્વા માઈટ્સના કરડવાથી ફેલાતો આ તાવ યૂપીના અનેક જિલ્લામાં ફેલાઈ રહ્યો છે. આ તાવથી સૌથી વધારે કેસ ફિરોઝાબાદ, આગ્રા, મેનપુરી, એટા, ઝાંસી, ઓરૈયા, કાનપુર, સહારાનપુર અને કાસગંજમાં પણ સામે આવ્યા છે.
શું છે સ્ક્રબ ટાઈફસ અને કેવી રીતે ફેલાય છે
આ બીમારી ઓરિયેટિયા સુટસુગમુશી નામના જીવાણુથી થાય છે. આ એક પ્રકારની સંક્રમિત ધૂનના કરડવાથી થાય છે. સ્ક્રબ ટાઈફસ એક જીવાણુજનિત સંક્રમણ છે જે લોકોના મોતનું મોટું કારણ બની શકે છે. તેના લક્ષણો ઘણે અંશે ચિકનગુનિયાને મળે છે. તેનાથી સંક્રમિત ચિગર્સના કરડવાથી બેક્ટેરિયા ફેલાય છે. શરીરમાં પ્રવેશ કરીને આ બેક્ટેરિયા માણસને બીમાર કરી દે છે. ચિગર્સના કરડ્યા બાદ 10 દિવસમાં બીમારી ગંભીર થવા લાગે છે. આ બીમારી એટલી ખતરનાક છે કે કોઈનો જીવ પણ લઈ શકે છે. તેનાથી બચવા માટે કપડા અને પથારી પર પરમેથ્રિન અને બેંઝિલ બેંજોલેટનો છંટકાવ કરવો. આ સિવાય કોઈ વ્યક્તિમાં તેના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો.
જાણો શું છે આ બીમારીના લક્ષણો
સ્ક્રબ ટાઈફસમાં સામાન્ય રીતે 10 દિવસમાં લક્ષણો જોવા મળે છે. Orientia Tsutsugamushi બેક્ટેરિયાથી સંક્રમિત ચિગર્સના કરડ્યા બાદ 10 દિવસમાં સંક્રમણ ફેલાય છે અને કેટલાક ખાસ લક્ષણો જોવા મળે છે. તેના પ્રમુખ લક્ષણોમાં તાવ, માથું દુઃખવું, શરીરમાં દર્દ, અને સ્કીન પર કાળા ચકામા થવા લાગે છે. અનેક કેસમાં માંસપેશીમાં સોજાની ઘટના પણ સામે આવી છે. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના જણાવ્યા અનુસાર આ બીમારીની કોઈ વેક્સિન નથી. એકમાત્ર ઉપાય છે સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું. કોરોનાની જેમ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અહીં પણ કારગર નીવડી શકે
યોગી આદિત્યનાથે આપ્યા ખાસ આદેશ
આ બીમારીના વધતા કહેરને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રા અને ફિરોઝાબાદમાં વિશેષ સ્વાસ્થ્ય શિબિરની વ્યવસ્થાના આદેશ આપ્યા છે. કોરોનાના દર્દીને માટે આરક્ષિત ઓક્સીજનની સુવિધાના આઈસોલેશન બેડ્સને ડેન્ગ્યૂ સહિત અન્ય વાયરલ બીમારીને માટે સારવાર માટે રાખવા કહેવાયું છે. સ્વાસ્થ્યવિભાગની ટીમ આ માટેની વ્યવસ્થા કરી રહી છે.
આસામમાં પણ વધી રહ્યા છે કેસ
2 દિવસ પહેલા આસામમાં એક રિપોર્ટ સામે આવ્યો જેમાં ગુવાહાટીના કોવિડ હોસ્પિટલને 15 દિવસ બંધ કરાઈ છે કેમકે અહીં સ્ક્રબ ટાઈફસના કેસ મળ્યા. આ બીમારીના 29 દર્દીઓ સામે આવ્યા છે. આ બેક્ટ્રિયલ બીમારીમાં હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પણ આવ્યા હતા. આ સિવાય કેટલીક નર્સ અને હેલ્થ સ્ટાફ પણ આ બીમારીનો શિકાર બન્યો છે.