કેરળમાં ઉંદર, છછુંદર અને ખિસકોલીમાંથી ફેલાતા મનાતા વાયરસથી જીવલેણ બીમારી ફેલાઈ રહી છે અને તેને કારણે 2 લોકોના મોત થયા છે.
કેરળમાં સ્ક્રબ ટાઈફસ નામની બીમારી ફેલાઈ
4 દિવસમાં 2 લોકોના થયા મોત
ઉંદર, છછુંદર અને ખિસકોલીમાંથી ફેલાય છે જીવલેણ વાયરસ
ભારતમાં કોરોનાની વચ્ચે વધુ એક જીવલેણ વાયરસે દેખા દીધી છે અને આ વખતે ઉંદર, છછુંદર અને ખિસકોલીમાંથી સ્ક્રબ ટાઈફસ નામનો વાયરસ ફેલાયો હોવાનું મનાઈ રહ્યું છે.
કેરળમાં સ્ક્રબ ટાઈફસ નામની બીમારીએ દેખા દીધી
કેરળમાં સ્ક્રબ ટાઈફસ નામની બીમારીએ દેખા દીધી છે અને અત્યાર સુધી તેનાથી બે લોકોના મોત થયા છે માટે હવે સાવધ રહેવાનો સમય આવ્યો છે.
કેરળમાં સ્ક્રબ ટાઈફસને કારણે 4 દિવસમાં 2ના મોત
તિરુવનંતપુરમ જિલ્લાના પરસલમાં 39 વર્ષીય મહિલા સબિતાનું સ્ક્રબ ટાઇફસ રોગને કારણે મોત નીપજ્યું હતું. તે છેલ્લા 15 દિવસથી આ રોગથી પીડાઈ રહી હતી અને રવિવારે સવારે તેનું નિધન થયું હતું. આ પહેલા ગુરુવારે તિરુવનંતપુરમ જિલ્લાના વરકલામાં 15 વર્ષીય અશ્વતીનું સ્ક્રબ ટાઇફસના કારણે મોત થયું હતું. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક વિશેષ તબીબી ટીમને નિર્દેશ આપ્યો છે કે તેઓ અશ્વથીને જ્યાં દાખલ કરવામાં આવ્યા હતા તે મૂળ સ્થળની મુલાકાત લે. જો કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવામાં આવ્યા બાદ પણ બીજા મોતથી આરોગ્ય કર્મચારીઓ અને વિભાગની ચિંતા વધી છે. વીણા જ્યોર્જે કહ્યું કે રાજ્યનો આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
આ રોગો કેવી રીતે થાય છે અને શું છે લક્ષણો
જણાવવામાં આવી રહ્યું છે કે આ રોગ ઉંદરો, ખિસકોલી વગેરે દ્વારા ફેલાય છે, તેથી તેમના દ્વારા ખાવામાં આવતા ફળો અથવા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. જ્યારે પણ તમે ફળો વગેરે ખાવ છો, ત્યારે તેને ધોઈને ખાવું જોઈએ, ખોરાકને ખુલ્લો ન રાખવો જોઈએ.
સ્ક્રબ ટાઈફસના લક્ષણો
તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, ઉબકા, ઉલટી આ રોગના અન્ય લક્ષણો છે. કેટલાક કિસ્સામાં શરીર પર શુષ્ક ફોલ્લીઓ પણ થઈ શકે છે.