હરિદ્વારમાં લગ્નમાં જઈ રહેલી જાન સાથે હૃદયકંપી ઘટના બની છે. નશામાં ધૂત સ્કોરપિયો ચાલકે નાચી રહેલા જાનૈયાઓ પર કાર ચઢાવી દીધી. બેન્ડવાળા એકનું મોત તો 31 ઘાયલ થયાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો છે.
હરિદ્વારમાં જાનૈયાઓ પર ફરી ગઈ કાર
નશામાં ધૂત હતો કાર ચાલક
એકસાથે 31 જાનૈયાઓ થયાં ઘાયલ
બેન્ડવાળા એકનું થયું કરૂણ મોત
લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે હવે રસ્તા પર ડાન્સ કરવું ખતરનાક થઈ ગયું છે. ઉત્તરાખંડનાં હરિદ્વારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બહાદરાબાદ સ્ટેશન ક્ષેત્રમાં રાત્રે રોડ પર બેન્ડનાં તાલે નાચી રહેલાં જાનૈયાઓ પર એક બેકાબૂ કાર ચઢી ગઈ હતી. કારની સ્પીડ એટલી તેજ હતી કે એકસાથે 31 લોકોને પોતાની હડફેટે લઈ લીધું. કારને ભીડે રોકી લીધી અને ડ્રાઈવરને ખૂબ પીટ્યો હતો.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો બને છે કેસ...
સ્કોર્પિયો કાર બિજનોરમાં આયોજિત એક અન્ય લગ્ન સમારોહમાંથી પાછી સહારનપુર આવી રહી હતી પરંતુ બહાદરાબાદ સ્ટેશન ક્ષેત્રમાં આ દુર્ઘટના બની. આ કારમાં 5 લોકો સવાર હતાં, પાંચેય લોકોએ દારૂ પીધેલ હતી. આ દુર્ઘટના બાદ પીટવામાં આવેલા તમામ લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેમાં ચાલકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે.
ભીડે સ્કોર્પિયો સહિત ડ્રાઈવરની કરી ધૂલાઈ
પોલીસે જણાવ્યું કે મોડીરાત્રે બહાદરાબાદ-ધનોરી રોડ પર સ્થિત સરદાર ફાર્મ હાઉસમાં ગામ બેલડાથી જાન આવી હતી. જાનનું સ્વાગત કરવાનાં સમયે બહાદરાબાદથી ધનોરીની તરફ જઈ રહેલી સ્કોર્પિયોએ જાનૈયાઓને ધસી નાખ્યાં. બેંડવાળા એક વ્યક્તિનું કરૂણ મોત થયું છે જ્યારે 31 લોકો ઘાયલ થયાં છે.
हरिद्वार में घुड़चढ़ी के दौरान बेकाबू कार ने बारातियों को रौंद दिया. हादसे में एक बैंड वाले की मौत हो गई, जबकि 31 लोग घायल हैं. pic.twitter.com/oaFLIQ69xK
પોલીસ ટીમ એક્શનમાં
CO જ્વાલાપુર નિહારિકા સેમવાલ, બહાદરાબાદ સ્ટેશન અધ્યક્ષ નિતેશ શર્મા તેમજ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યાં. આ સાથે જ કારસહિત ડ્રાઈવરની ધરપકડ કરી.
ઘાયલોમાં 2ની હાલત અતિગંભીર
માહિતી અનુસાર જ્વાલાપુર નિહારિકા સેમવાલ, સ્ટેશન અધ્યક્ષ નિતેશ શર્મા અને પોલીસ ટીમે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યાં. પોલીસ અધ્યક્ષનાં જણાવ્યાં અનુસાર ઘાયલ થયેલામાંથી 2 લોકોની સ્થિતિ અતિગંભીર છે.