Scoop Trailer Out: પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાની ખબરે 2011માં આખે દેશને ચોંકાવી દીધો હતો. મામલામાં મહિલા પત્રકાર જિગના વોરા મુખ્ય આરોપી છે. જિગનાના જીવન પર હવે હંસલ મેહતા પોતાની નવી વેબ સીરિઝ 'સ્કૂપ' લઈને આવી રહ્યા છે.
પત્રકાર જ્યોતિર્મય ડેની થઈ હતી હત્યા
મહિલા પત્રકાર જિગના વોર હતી મુખ્ય આરોપી
જિગના વોરા પર બની સીરિઝ 'સ્કૂપ'
હંસલ મેહતાની નવી વેબ સીરિઝ 'સ્કૂપ'નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. કરિશ્મા તન્ના સીરિઝમાં લીડ રોલમાં છે. સ્ટોરી વર્ષ 201માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા અને મામલામાં આરોપી પત્રકાર જિગના વોરા કેસની છે. 2 મિનિટ 46 સેકેન્ડના ટ્રેલરમાં હંસલ મેહતાની આ સીરિઝ ખૂબ જ શાનદાર જણાઈ રહી છે.
સ્ટોરી અને તેના ટ્રીટમેન્ટ તમારા રૂવાડા ઉભા કરી દેશે. હંસલ મેહતાએ પોતાની આ સીરિઝને જિગના વોરાના જીવન અને કોર્ટના ટ્રાયલની આજુ બાજુ રાખી છે. કરિશ્મા તન્ના સીરિઝમાં પત્રકાર જાગૃતિ પાઠકની ભુમિકા નિભાવી રહી છે. જે પોતાના સાથી પત્રકારની હત્યામાં આરોપી બને છે.
ક્રાઈમ રિપોર્ટર છે જાગૃતિ
ટ્રેલરની શરૂઆત એક ફોન કોલથી થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે જાગૃતિ પાઠક માટે કોઈ 'નાના'નો ફોન છે, દુબઈથી. નાના એટલે કે છોટા રાજન, જાગૃતિ ક્રાઈમ રિપોર્ટર છે. ફક્ત 7 વર્ષના કરિયરમાં ડેપ્યુટી બ્યૂરો ચીફ બની ચુકી છે. જાગૃતિના કોન્ટેક્ટ સતત વધ્યા અને સનસનીખેઝ ખબરો આપવા લાગે છે.
પરંતુ તેનું જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેના જેવા એક ફેમસ પત્રકાર જયદેવ સેનની હત્યા થઈ જાય છે. પોલીસ તપાસમાં જાગૃતિ મુખ્ય આરોપી બનતે છે. આ મામલો ત્યારે વધારે ચર્ચામાં આવે છે જ્યારે Chota Rajan ફોન પર એવું કહે છે કે તેના ભડકાવવા પર જાગૃતિએ જયદેવની હત્યા કરાવી છે.
Scoop Web Series Release Date
હંસલ મહેતા આ સીરિઝમાં આગળ જાગૃતિની કાયદાકીય લડાઈ પર આધારિત છે. તેના પરિવાર અને મિત્રો નિર્દેશતા સાબિત કરવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. 'સ્કૂપ' વેબસીરીઝ 2 જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
સીરિઝમાં કરિશ્મા તન્ના ઉપરાંત મોહમ્મદ જીશાન આયુબ, હરમન બાવેજા, તનિષ્ઠા ચેટર્જી, તેજસ્વિની કોલ્હાપુરે અને શિખા તલસાનિયા પણ શામેલ છે. આ વેબ સીરિઝ જિગના વોરાની બુક 'બિહાઈન્ડ બાર્સ ઈન ભાયખલાઃ માય ડેઝ ઈન પ્રીઝન' પર આધારિત છે. જિગના વોરાને આ કેસમાં છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.
કોણ છે જિગના વોરા?
જિગના વોરા એશિયન એજની પત્રકાર હતી. તે મિડ-ડેના રિપોર્ટર જ્યોતિર્મય ડેની હત્યાના બે મુખ્ય શંકાસ્પદમાંથી એક હતી. 11 જૂન, 2011એ પવઈના હીરનંદાનીમાં અજાણ્યા હુમલાવરોએ જ્યોતિર્મય ડેની હત્યા કરી નાખી.
હત્યારાઓની ઓળખ અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન સાથે જોડાયેલા સાત લોકોના એક ગ્રુપના રૂપમાં થઈ. શરૂઆતી તપાસ બાદ મુંબઈ પોલીસે રાજન અને વોરા પર આરોપ લગાવ્યો. 2016માં કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
તપાસના સિલસિલામાં મુંબઈ પોલીસે 25 નવેમ્બર, 2011એ જિગના વોરાને કસ્ટડીમાં લીધી. તે તે સમયે એશિયન એજ ન્યૂઝના મુંબઈ બ્યૂરોના ડેપ્યૂટી બ્યૂરો ચીફ હતી અને તેમની ઉંમર 37 વર્ષ હતી. તેમના પર રાજનને જ્યોતિર્મય ડેના વિશે મહત્વપૂર્ણ જાણકારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તેમાં તેમના ઘર અને તેમની બાઈકની લાયસન્સ પ્લેટ નંબર પણ શામેલ હતી.