વૈશ્વિક સપ્લાય ચેઇન અને પરિવહનના મુદ્દે કરી ચર્ચાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સમરકંદમાં મુલાકાત કરી હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન સાથે મુલાકાત કરી હતી.
યુક્રેનની સ્થિતિના લીધે સપ્લાય ચેઈનમાં વિક્ષેપ
એસસીઓની બેઠકમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. વડા પ્રધાને કહ્યું કે કોવિડ -19 અને યુક્રેનની પરિસ્થિતિએ વૈશ્વિક સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી છે, જેના કારણે વિશ્વનો સામનો કરી રહેલા "અભૂતપૂર્વ" ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સંકટ તરફ દોરી ગયું છે.
એકબીજા દેશને પરિવહનનો હક આપવો જોઈએ
તેમણે કહ્યું હતું કે, એસસીઓએ આપણાં વિસ્તારમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વિવિધતાસભર પુરવઠા ચેઈન વિકસાવવા આતુર રહેવું જોઈએ. આ માટે વધુ સારી કનેક્ટિવિટીની જરૂર પડશે, તેમજ તે મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને પરિવહનનો સંપૂર્ણ અધિકાર આપીએ.
પીએમ 24 કલાક ત્યાં રોકાશે
પ્રભાવશાળી આઠ દેશોના એસસીઓ જૂથની સમિટ એવા સમયે થઈ છે જ્યારે યુક્રેન પર રશિયાના હુમલા અને તાઇવાન સામે ચીનના આક્રમક લશ્કરી વલણને કારણે ભૂ-રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. મોદી ગુરુવારે રાત્રે લગભગ 24 કલાકની યાત્રા પર અહીં પહોંચ્યા હતા.