વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિનને કહેવાયેલી વાતોના લીધે તેમની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. ચાલો જાણીએ શું થઇ હતી બન્ને વચ્ચેની વાતચીત
અમેરિકા અને ફ્રાન્સે SOCમાં પીએમ મોદીના નિવેદનના કર્યા વખાણ
મોદીએ પુતિનને કહ્યું હતુંઃ આ યુગ યુદ્ધનો નથી
16 સપ્ટેમ્બરના રોજ સમરકંદમાં યોજાઈ હતી SCO બેઠક
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં થયેલા એસસીઓ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિનને કહેવાયેલી વાતોના લીધે તેમની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં અમેરિકા અને ફ્રાન્સે મોદીની ખૂબ જ પ્રશંસા કરી છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં તમામ નેતાઓએ હાજરી આપી હતી. ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું હતું કે, ‘આજનો યુગ યુદ્ધનો નથી.’ આના પર પુતિને મોદીને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધને લઈ ભારતની ચિંતાઓથી વાકેફ છે અને રશિયા શક્ય તેટલી વહેલી તકે યુદ્ધને સમાપ્ત કરવા માટે બને તેટલું બધુ કરશે. પીએમ મોદીના આ સ્ટેન્ડથી હવે પશ્ચિમી દેશો પીએમ મોદીનાં વખાણ કરી રહ્યા છે.
આ સમય યુદ્ધનો નથી
વડા પ્રધાન મોદીએ 16 સપ્ટેમ્બરના રોજ સમરકંદમાં આયોજિત શાંઘાઇ સહયોગ સંગઠનની શિખર બેઠકના ઉપક્રમે થયેલી મુલાકાતમાં આ વાત કહી હતી. મોદીએ પુતિનને યુક્રેન સંકટના કારણે ઉત્પન્ન થયેલી ખાદ્યાન્ન સંકટ, ઇંધણ સુરક્ષા અને ઉર્વરક સંકટના હલ શોધવાનો આગ્રહ કર્યો હતો. આ સાથે તેમણે યુક્રેનની સાથે રશિયા જંગ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી.
બધાએ સાથે મળીને આવનાર પડકારોનો સામનો કરવાનો છે
પીએમ મોદી દ્વારા પુતિનને કહેવાયેલી વાતોનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોં અને અમેરિકા યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને યુએનમાં સ્વાગત કર્યું હતું. મૈકોંએ જણાવ્યું હતું કે મોદીએ કહ્યું હતું કે સમય યુદ્ધનો નથી. આ સમય પશ્ચિમ સાથે બદલો લેવાનો કે તેનો વિરોધ કરવાનો પણ નથી. આ સમય આપણા જેવા સંપ્રભુ દેશોએ સાથે મળીને રહેવાનો છો. આ સમય આપણી સામે આવતા પડકારોનો એક થઇને સામનો કરવાનો છે. વ્હાઇટ હાઉસમાં જેક સુલિવને કહ્યું કે વડા પ્રધાન મોદીએ જે કહ્યું તે સિદ્ધાંત પર આધારિત નિવેદન છે કે તેઓ સાચા અને ન્યાયી છે અને યુએસ તે નિવેદનનું સ્વાગત કરે છે. સુલિવને કહ્યું કે ભારતીય નેતાની ટિપ્પણી પ્રશંસનીય છે.