કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ મોટી ચેતવણી આપી છે. જેમા તેમણે કહ્યું છે કે ભલે વેક્સિનના 100 ડોઝ આપવામાં આવ્યા પરંતુ નવા વેરિએંટને કારણે ખતરો હજુ ટળ્યો નથી
કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
કહ્યું 100 કરોડ ડોઝ પછી પણ ખતરો ટળ્યો નથી
નવા વેરિએંટને લઈને વૈજ્ઞાનિકોએ લોકોને ચેતવ્યા
દેશમાં 100 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. સાથેજ કોરોનાના કેસ પણ હવે તો ઓછા થઈ ગયા છે. વૈજ્ઞાનિકોનિં કહેવું છે ભારતમાં કોરોનાની બીજી લહેર જેટલી ઘાટક હતી તેવી લહેર હવે નહી આવે. જોકે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું કે કેસ ઘટ્યા છે તો તેનો મતલબ એવો નથી થતો કે હવે ખતરો ટળી ગયો છે.
તહેવારોને અનુલક્ષીને આપી ચેતવણી
કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું કે દેશમાં દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. જેથી વૈજ્ઞાનિકો દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે વેક્સિનેશન યથાવત રહેવું જોઈએ. યુકેનું ઉદાહરણ આપતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે ત્યા કોરોનાના અલગ અલગ વેરિએંટ આવ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.
હજું ઘણું બધા કામ બાકી
ભારતમાં 100 કરોડ કરતા પણ જેટલા વેકેસિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પરિસ્થિતી ઘણી સુધી ગઈ છે. પરંતું વૈજ્ઞનિકોનું કહેવું છે કે હજુ પણ ઘણું બધુ કરવાનું બાકી છે. કારણકે તેમનું કહેવું છે કે મહામારી હજું પુરી રીતે ગાયબ નથી થઈ.
એન્ડેમિક સ્ટેજનો ઉલ્લેખ
વૈજ્ઞાનિકોએ સમગ્ર મામલે કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુપ એન્ડેમિક સ્ટેજ હજું નથી આવ્યો. એન્ડેમિક સ્ટેજનો મતલ એ થાય છે કે બિમાપરી આપણી વચ્ચેજ હોય પરંતુ તેની અસર ના બરાબર રહે. એન્ડેમિક સ્ટેજની જાણકારી મેળવવા માટે ડેચ રિસર્ચ કરીને ડેટા કલેક્ટ કરવો પડે જે ડેટા કલેક્ટ કરવો ઘણો મુશ્કેલ છે.
નવા વેરિએંટથી લોકોને ચેતવ્યા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દેશમાં જે રીતે બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી તેવી પરિસ્થિતી હવે નહી આવે પરંતું વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા વેરિએંટ સામે પરિસ્થિતી પડકારજનક બની શકે છે. કારણકે કોરોનાના નવા વેરિએંટ વેક્સિન લીધી હોય તેવા લોકોને સંક્રમણનો ભોગ બનાવી શકે છે.