નેચર જર્નલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માર્ચમાં ભારત અને બ્રાઝીલને કોરોનાની બીજી લહેરની ચેતવણી અપાઈ હતી, છતા આ બન્ને દેશોએ ચેતવણીને અવગણી.
નેચર જર્નલ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ભારતને માર્ચમાં અપાઈ હતી બીજી લહેરની ચેતવણી
છતા ભારતે આ ચેતવણી અવગણી
બ્રાઝિલને પણ આવી ચેતવણી અપાઈ હતી
બ્રાઝીલ પ્રમુખ તો કોરોનાને નાના ફ્લુ કહીને મજાક ઉડાવવા લાગ્યા હતા
વૈજ્ઞાનિકોએ એવું પણ જણાવ્યું કે જો સમય રહેતા ભારત અને બ્રાઝિલે પગલાં ભર્યાં હોત તો હજારો લોકોના જીવ બચી ગયા હોત.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત અને બ્રાઝિલે વૈજ્ઞાનિકોની આ સલાહ માની હોત તો કોરોનાની બીજી લહેર આટલી ભયાનક ન બની હોત અને સમય રહેતા કોરોના નિયંત્રણના પગલાં ભરી શકાયા હોત. પરંતુ આ બન્ને દેશોએ વૈજ્ઞાનિકોની સલાહની અવગણના કરી અને તેનું પરિણામ ભયંકર આવ્યું જે બધા જોઈ શકે છે. નેચર જર્નલમાં કહેવાયું કે ભારત અને બ્રાઝિલ વચ્ચેનું અંતર લગભગ 15 હજાર કિલોમીટર છે પરંતુ કોરોના અંગે એક જ સમય્યા છે. બન્ને દેશોના નેતાઓએ સલાહ માન નથી અથવા તો તેની પર ખૂબ મોડેથી અમલ કર્યો જેને કારણે બન્ને દેશોમાં હજારો લોકો મોતના મોઢામાં ધકેલાયા.
Governments that ignore or delay acting on scientific advice are missing out on a crucial opportunity to control the pandemic. https://t.co/5tLTInZpUj
કોરોનાના તો નાનો ફ્લુ છે, કહેવાનું બ્રાઝિલ પ્રમુખને ભારે પડ્યું
બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારો તો કોરોનાને સતત નાનો ફ્લુ કહીને તેની મજાક ઉડાવવા લાગ્યાં. તેમણે વૈજ્ઞાનિક સલાહની અવગણના કરી. સાથે વૈજ્ઞાનિકોના ઉપાયો પણ ન માન્યા. બ્રાઝિલ સરકારે લોકોને માસ્ક પહેરવાના તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ સારી રીતે પાલન ન કરાવ્યું.
ચેતવણી છતાં ભારત સરકારે કોઈ એક્શન ન લીધું
ભારતમાં પણ સરકારે વૈજ્ઞાનિકોની સલાહ પર કોઈ એક્શન ન લીધું. જેને કારણે દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો તથા હજારો લોકોના જીવ જતા રહ્યાં. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વૈજ્ઞાનિકોની ચેતવણીની અવગણના કરી હતી જેને કારણે ત્યાં 5.70 લાખ લોકોના મોત થયા હતા.
કેસો ઘટતા ભારત સરકાર આત્મસંતુષ્ટ બની-રિપોર્ટમાં દાવો
નેચર જર્નલના લેખમાં એવું પણ જણાવાયું છે કે ભારતમાં ગત વર્ષના સપ્ટેમ્બરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજના 96 હજાર લોકોને કોરોના થઈ રહ્યો હતો ત્યાર બાદ 2021 ના માર્ચની શરુઆતમાં કોરોનાના કેસો ઘટીને 12 હજાર થયા આને કારણે સરકાર આત્મસંતુષ્ટ બની અને તેને લાગ્યું કે હવે કોરોના ગયો અને તમામ બિઝનેશ રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવ્યાં હતા.