બ્રિટેનના વૈજ્ઞાનિકોએ કેન્સરનો ઈલાજ શોધ્યો છે, જેના કારણે ટ્રાયલમાં એક વ્યક્તિનું કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયું.
બ્રિટેનના વૈજ્ઞાનિકોએ કેન્સર માટેનો ઈલાજ શોધ્યો છે
આ ઈલાજ એડવાન્સ સ્ટેજવાળા દર્દીઓને નવું જીવન આપે છે
ટ્રાયલમાં એક વ્યક્તિનું કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયું
બ્રિટેનના વૈજ્ઞાનિકોએ કેન્સર માટેનો ઈલાજ શોધ્યો છે
કેન્સરનું નામ સાંભળતા જ લોકોના હોશ ઉડી જાય છે. વૈજ્ઞાનિકોએ મોટાભાગની બીમારીઓનો ઈલાજ શોધી કાઢ્યો છે પણ કેન્સર એવી બીમારી છે, જેનો ફૂલપ્રૂફ ઈલાજ શોધવા માટે દિવસ રાત વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. આ જ પગલે બ્રિટેનના વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારની કેન્સર થેરેપીની ખોજ કરી છે. આમાં સામાન્ય વાયરલથી એક પ્રકારની દવા બનાવવામાં આવે છે અને પ્રભાવિત જગ્યાઓ પર ઇન્જેક્ટ કરવામાં આવે છે. અમુક લોકો પર ટ્રાયલ દરમિયાન આ પ્રક્રિયાનાં સારા પરિણામો સામે આવ્યા છે. આ થેરાપીથી કેન્સરનો દર્દી સંપૂર્ણ રીતે સાજો થઇ ગયો અને બીજા દર્દીનું પણ ટ્યુમર ઘટી ગયું.
એડવાન્સ સ્ટેજવાળા દર્દીઓને આપે છે નવું જીવન
વૈજ્ઞાનિકોએ આ દવાને મોંનાં છાલા માટે જવાબદાર કોલ્ડ સોર વાયરલનો ઉપયોગ કરીને બનાવી છે. આ દવા કોલ્ડ સોર વાયરલ અથવા હર્પ્સ સિમ્પ્લેકસનું હલકું વર્ઝન છે જેમાં ઇન્જેક્શન કેન્સરનાં એડવાન્સ સ્ટેજવાળા દર્દીઓને નવું જીવન આપી શકે છે. જોકે હજુ એમાં વધારે અધ્યયન કરવાની જરૂર છે. ટ્રાયલમાં ભાગ લેનાર 39 વર્ષીય ક્રઝિસ્ટોફ વોજકોવસ્કીનું કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું છે. 2017થી તે સારવાર કરાવીને થાકી ગયો હતો પરંતુ તેનું કેન્સર મટી રહ્યું ન હતું. તે એક બોડી બિલ્ડર છે. તેણે રોયલ માર્સડેન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર રિસર્ચમાં ટ્રાયલમાં ભાગ લીધો હતો.
ટ્યુમરમાં લગાવવામાં આવે છે ઇન્જેક્શન
કેન્સરના સેલ્સ પર હુમલો કરવા માટે આ દવાનું ઈન્જેક્શન સીધું ગાંઠ પર લગાવવામાં આવે છે. તે કેન્સર પર બે રીતે હુમલો કરે છે. દવામાં હાજર વાયરસ કેન્સરના સેલ્સ પર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ સક્રિય કરે છે. વૈજ્ઞાનિકોએ 40 લોકો પર આ ઈન્જેક્શનનું પરીક્ષણ કર્યું છે. આમાંના કેટલાક લોકોને વાઈરસ ઈન્જેક્શન RP2 આપવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને કેન્સરની સારવારમાં વપરાતી અન્ય દવાઓ, જેમ કે નિવોલુમેબ વગેરે આપવામાં આવી હતી. ટ્રાયલના પરિણામો પેરિસ મેડિકલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યા હતા.