ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે જ્યારે વાયરસ હવે વાયરસથી હાલ સુધીમાં 1369 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમયે એક નવો વાયરસ સામે આવ્યો છે. તેનું નામ છે યારા વાયરસ.
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત
હાલ સુધીમાં થયા 1369 લોકોના મોત
કોરોના બાદ યારા વાયરસની થઈ પુષ્ટિ
બ્રાઝિલના સાયન્ટિસ્ટ ત્યારે હેરાન થયા જ્યારે હવે નવો વાયરસ જે કોઈની સાથે મળતો નથી તે જોવા મળી રહ્યો છે. સાયન્ટિસ્ટનું કહેવું છે કે યારા વાયરસના 90 ટકા જીન પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી.
બદલાયું કોરોના વાયરસનું નામ
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોરોના વાયરસનું નામ બદલીને COVID-19 રાખવામાં આવ્યું છે. કોરોના વાયરસની શોધ ડિસેમ્બર 2019માં થઈ હતી. આ વાયરસથી હાલ સુધી 60000થી પણ વધારે લોકો સંક્રમિત થયા છે.
અહીં મળ્યો યારા વાયરસ
મળતી માહિતી અનુસાર જાન્યુઆરી 2020માં જ આ વાયરસના ડોક્યૂમેન્ટ કરવામાં આવ્યો હતો. અચાનક બ્રાઝિલના એક કૃત્રિમ તળાવમાં સાયન્ટિસ્ટને યારા વાયરસ મળ્યો. તેમાં કુલ 74 જીન મળ્યા. બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી મિનાસ ગેરાઈસના આધારે આ વાયરસથી માણસને કોઈ ખતરો નથી. આ વાયરસ ફક્ત amoeba ની સાથે રહે છે અને હાલ સુધીની જાણકારીના આધારે માણસ તેનાથી સંક્રમિત થશે.