માણસ અને શ્વાનની મિત્રતાને દરેક માણસ સ્વીકારે છે. કેટલાંક લોકો તો માણસ કરતા શ્વાનને પ્રેમ અને તેના પર જ વિશ્વાસ મુકે છે. તો શ્વાન પણ પોતાના માલિક માટે પ્રાણ આપતા પાછીપાની કરતા નથી. હવે અમુક વૈજ્ઞાનિકોએ આ મિત્રતાનુ રહસ્ય ખોલ્યુ છે.
માણસ અને શ્વાન વચ્ચે ગજબ મિત્રતા
વૈજ્ઞાનિકોએ 33 વર્ષ જૂનુ રહસ્ય શોધી કાઢ્યુ
જાણો શ્વાન માણસ સાથે કેમ કરે છે મિત્રતા
શ્વાન માટે માણસનો સાથ જરૂરી
શું તમે જાણો છો કે શ્વાન અને માણસ વચ્ચેનો આ પ્રેમ આજનો નહીં, પરંતુ માનવ સભ્યતાના ઈતિહાસ અને વિકાસ સાથે જ શરૂ થાય છે. હવે અમુક વૈજ્ઞાનિકોએ આ મિત્રતાનુ રહસ્ય ખોલ્યું છે. એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે શ્વાનમાં એક વિશેષ જીન હોય છે, જે તેના તણાવન ઘટાડી દે છે. આ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે તે માણસની પાસે રહે. જેનાથી તેમને લોકોની આજુબાજુ વધુ આરામ મળે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે શ્વાન મનુષ્યના સૌથી સારા મિત્ર કેવીરીતે બન્યાં તેનુ સટીક કારણ શોધી નાખવામાં આવ્યું છે. આ પ્રશ્નનો ઉત્તર શ્વાનના જીનમાં છે.
33 હજાર વર્ષ જૂની મિત્રતા
આ ઐતિહાસિક રીતે તર્ક આપવામાં આવ્યો છે કે શ્વાનને પાલતુ બનાવવુ એક વિકાસવાદી પ્રક્રિયા હતી. જે લગભગ 33,000 વર્ષ પહેલાં દક્ષિણ પૂર્વ એશિયામાં ભેડિયાની સાથે શરૂ થઇ હતી. પરંતુ એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે શ્વાનમાં એક વિશેષ જીન હોય છે, જે તેના તણાવને ઘટાડે છે. જેનાથી તેમને લોકોની આજુબાજુ વધુ આરામ મળે છે. સંશોધન કહે છે કે તેણે એક માણસ અને શ્વાનની વચ્ચે એક વિશેષ સંબંધ વિકસિત કરવામાં સક્ષમ બનાવ્યો.