કોરોના વાઇરસનો ઇલાજ શોધવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો મચી પડ્યા છે. ત્યારે કેટલાક લોકો દાવો કરે છે કે તેમણે કોરોના વેક્સિન શોધી લીધી છે અને બાદમાં ટેસ્ટમાં તે ફેઇલ થઇ જાય છે. લોકોની આશાઓ પર એક જ ક્ષણમાં પાણી ફરી વળે છે, પરંતુ એક વૈજ્ઞાનિક સ્ટડી અનુસાર તેમને મોટી સફળતા મળી છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કોરોનાનો અંત થશે તેવો દાવો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
કોરોનાનો મળ્યો ઇલાજ
આ પદ્ધતિ પર હજૂ મંજૂરી નહી
વાયરસને વિટામિન રિબોફ્લેવીન અને પેરાવાયોલેટ કિરણોના સંપર્કમાં લાવવામાં આવે તો પ્લાઝમા અને લોહી બનાવવાવાળા સેલ્સ જેવા કે રેડ બ્લડ સેલ્સ, પ્લેટલેટ્સ, પ્લાઝમામાં વાયરસને ઓછો કરી નાંખે છે. આ એક એવી કામયાબી છે જે લોહી ચડાવવા સમયે વાયરસને ઓછો કરવામાં મદદ કરે છે.
શું કહ્યું વૈજ્ઞાનિકોએ ?
અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, અત્યારે પણ એ વાતની ખબર નથી પડી શકી કે કોરોના મહામારી માટે જવાબદાર કોરોના વાયરસ અથવા સાર્સ COV-2 લોહી ચડાવતી વખતે ફેલાય છે કે નહી. આ સ્ટડીની સહ-લેખિકા ઇઝાબેલ રગાને કહ્યું કે, તેમણે વાઇરસને મોટી માત્રામાં ઘટાડ્યો અને ઇલાજ બાદ વાઇરસનો નાશ થઇ ગયો હતો.
ક્યારે શોધાશે વેક્સિન ?
આ સ્ટડી બાદ પણ ચોક્કસપણે કહી ન શકાય કે આ ઉપાયથી કોરોના વાયરસનો અંત થશે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાનો ઇલાજ શધવામાં વ્યસ્ત છે. ક્યારે આ ભયાનક મહામારીનો અંત આવશે તે કોઇ જાણતું નથી.