કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ સમયે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણના કારણે કેટલાક દર્દીઓમાં સ્થાયી રૂપે અચાનક બહેરાશ આવવાની સમસ્યા જોવા મળી રહી છે. બ્રિટનમાં આ સંબંધમાં કરાયેલા એક અધ્યયનમાં કહેવાયું છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે બહેરા થનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.
વધી રહ્યું છે કોરોના સંક્રમણ
કોરોના સંક્રમિતોને આવે છે બહેરાશની સમસ્યા
વૈજ્ઞાનિકોએ કર્યો છે આ સમસ્યાનો દાવો
બ્રિટનમાં યુનિવર્સિટી કોલેજ લંડનના વિશેષજ્ઞો સહિત વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર આ સંક્રમણના કારણે બહેરાશની સમસ્યા જન્મે છે અને સાથે આ માટે જાગરૂકતા જરૂરી છે. સ્ટીરોઈડની મદદથી ઉપચાર કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેઓએ કહ્યું કે આનું કારણ સ્પષ્ટ નથી પરંતુ ફ્લૂ જેવા વાયરલ સંક્રમણ બાદ પણ આ પ્રકારની સમસ્યા થાય છે.
સાંભળવાની ક્ષમતા થઈ ચૂકી છે ગાયબ
બીએમજે કેસ રિપોર્ટસમાં એક 45 વર્ષના વ્યક્તિનો ઉલ્લેખ છે. જે અસ્થમાના દર્દી હતા. કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત થયા બાદ તેમની સાંભળવાની શક્તિ નષ્ટ થી છે. આ વ્યકિતને કોરોના પહેલાં સાંભળવાની કોઈ સમસ્યા ન હતી. વ્યક્તિને સ્ટીરોઈડની ગોળીઓ અને રસી લગાવવામાં આવી છે. આ પછી તેની સાંભવાની ક્ષમતા આંશિક રીતે પરત આવી રહી છે.
એક શોધમાં કહેવાયું છે કે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત થવાના કારણે બહેરાપણાની સમસ્યાને લઈને સંશોધનની જરૂર છે. જેથી આ સમસ્યાની ઓળખ કરીને તેનો ઉપચાર કરી શકાય.